રાજકોટ:
મૂળ ચાંદલી હાલ રાજકોટ નથુ તુલસી ઔદિચ્ય ગોહીલવાડી બ્રાહ્મણ મકનજીભાઈ જીવનભાઈ પંડયાના
પુત્ર છેલશંકરભાઈ (ઉં.80) તે વ્રજલાલભાઈ, સ્વ.ચંદ્રકાંતભાઈ, સ્વ.દયાબેન મોતીલાલ પાઠકના
ભાઈ, અનિલભાઈ, શૈલેષ (એડવોકેટ), કિરણબેન કશ્યપભાઈ ત્રિવેદીના પિતાશ્રી, સ્વ.ખીમજીભાઈ
મોનજીભાઈ પાઠક (હડમતિયા)ના જમાઈ, કૃપાલીબેન ઉમંગકુમાર રાવલ (જામનગર), સત્યમ, ભાર્ગવી
તથા રચિતના દાદાનું તા.26ના અવસાન થયું છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.29ના સાંજે
5થી 6, વી.કા.મહેતા બ્રાહ્મણ બોર્ડિંગ, 9-ગોપાલનગર, મહાવીર મેડિકલ સ્ટોર વાડી શેરીમાં,
ગાયત્રીનગર મેઈન રોડ, રાજકોટ-2 છે.
જૂનાગઢ:
નર્મદાબેન લક્ષ્મીદાસ (ગળુ) હાલ રાજકોટ તે કરશનદાસ પ્રાણજીવન (શાપુર)ની દીકરી, સ્વ.જયસુખભાઈ,
સ્વ.મનસુખભાઈ, ધીરજલાલના બહેન, નિર્મળાબેન, જ્યોત્સનાબેનના બહેનનું તા.21ના સીડની ઓસ્ટ્રેલિયા
ખાતે અવસાન થયું છે. સાદડી તા.28ના સાંજે 4થી 5, શેરી નં.1, જોગીપાર્ક, ઝાંઝરડા રોડ,
જૂનાગઢ મુકામે તેમના નિવાસ સ્થાને છે. મો.નં.88662 28799, 83206 18733
રાજકોટ:
પન્નાબેન મહેન્દ્રરાય ભટ્ટ (ઉં.87) તે સ્વ.મહેન્દ્રરાય ભટ્ટ (ભાવનગર યુનિવર્સિટી)ના
પત્ની, પ્રાણલાલ મહેતાના દીકરી, અશ્વિનભાઈ ભટ્ટ (રીટાયર્ડ રેલ્વે), જયેશભાઈ ભટ્ટ (કોંગ્રેસ
પ્રવક્તા), રાધેશભાઈ ભટ્ટ, હેમાબેન એન.ઠાકોરના માતૃશ્રી, ઝેડ.એમ.ભટ્ટ (ગાંધીનગર)ના
ભાભી, નવીનકુમાર ઠાકોર (ગાંધીનગર), નયનાબેન, કાજલબેન, શર્મિલાબેનના સાસુ, દીપક, વત્સ,
જય, નિહારીકા, રિંકલ, પ્રાચીના દાદીનું તા.23ના સેલવાસ ખાતે અવસાન થયું છે. બેસણું
તા.29ના 4થી 6, આર.કે.મંગલમ હોલ, સીતારામ ચોક, ભરતનગર, ભાવનગર છે.
રાજકોટ:
ચીમનભાઈ ગોકળદાસ માકડિયાના પત્ની નિર્મળાબેન (ઉં.77) તે મનીષભાઈ, હેમલભાઈના માતુશ્રીનું
તા.27ના અવસાન થયું છે. બેસણું તા.29ના સવારે 8-30થી 10, માતુશ્રી જેઠીબેન ગોરધનભાઈ
ગોવાણી, ઉમાભવન, ઉમા પાર્ક, શેરી નં.1, આલાપ એવન્યુની બાજુમાં, યુનિવર્સિટી રોડ, રાજકોટ
છે.
રાજકોટ:
મચ્છુ કઠિયા સઈ સુથાર રાજકોટ મદુલાબેન ગોપાલભાઈ પીઠડીયા તે સ્વ.રાજુભાઈ, હિતેશભાઈના
માતુશ્રી, સ્વ.ગોપાલભાઈ હરીભાઈ પીઠડિયાના પત્ની, કિરીટભાઈના ભાભી, સ્વ.વ્રજલાલભાઈ અમરશીભાઈ
ગોહિલના પુત્રી, સુરેશભાઈ, અશોકભાઈ, રાજનભાઈ, મહેશભાઈ, ગીરીશભાઈ, મુનાભાઈના બેનનું
તા.26ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.30ના સાંજે 5થી 6, તેમના નિવાસ
સ્થાને, ચુનારાવાડ ચોક, શેરી નં.7, રાજકોટ છે.
રાજકોટ:
સોની વિઠ્ઠલદાસ મોહનલાલ સાહોલિયાના પુત્રવધુ રિયાબેન યોગેશભાઈ સાહોલીયા તે સૌરભ, સૃષ્ટિના
માતુશ્રી, કિરીટભાઈ, ચંદ્રેશભાઈના નાનાભાઈના પત્નીનું તા.26ના અવસાન થયું છે. બેસણું
તા.29ના બપોરે 4-30થી 6, “ભગવાન ભુવન વાડી’’, 6/11 પંચનાથ પ્લોટ, પંચનાથ મંદિર પાસે,
રાજકોટ છે.
રાજકોટ:
પ્રભાબેન વિનોદરાય મકવાણા ગુ.ક્ષ.કડિયા (ઉં.70) તે વિનુભાઈ વાળાના પત્ની, જગજીવનભાઈના
ભાભી, મનીષ, સુનીલ અને બીપીનના માતુશ્રી, જીતેન્દ્રભાઈ, શૈલેષભાઈ અને લલીતભાઈના કાકી,
કમલેશભાઈ, સંજયભાઈના ભાભુનું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.29ને ગુરુવારે સાંજે
4થી 6, નિલકંઠ મહાદેવ, અક્ષરનગર મેઈન રોડ, લાખના બંગલા પાસે છે. મો.નં.93773 20562,
79844 45886
ગોંડલ:
વાલમ બ્રાહ્મણ શ્રી હનુમાનજી ઉપાધ્યાય પરિવારના ગં.સ્વ.લતાબેન મહેશભાઈ ઉપાધ્યાય (ઉં.વ.74)
તે સ્વ.મહેશભાઈ નર્મદાશંકર ઉપાધ્યાયના પત્ની, નિતાબેન દિવ્યેશભાઈ પંડયા (રાજકોટ), હીનાબેન
અમરીશભાઈ (ગોપાલભાઈ) ભટ્ટ (સુરત), અમીબેન નીશિતભાઈ વ્યાસ (અમદાવાદ), સ્વ.જાગૃતિબેન
ઉપાધ્યાયના માતા તથા મુકુંદભાઈ અને ભરતભાઈ ઉપાધ્યાયના ભાભી અને સ્વ.હર્ષદભાઈ જોષી,
સ્વ.વસંતભાઈ જોષી અને લલિતભાઈ જોષીના નાના બહેનનું તા.27ને મંગળવારે અવસાન થયું છે.
બન્ને પક્ષનું બેસણું તા.29ને ગુરુવારે 4થી 6, હેમવાડી, ગોંડલ ખાતે રાખેલ છે.
પોરબંદર:
કાંતાબેન શરદભાઈ મેવચા (ઉં.55) તે શરદભાઈ મેવચા (સન ફોટો)ના પત્નીનું તા.27ના અવસાન
થયું છે. પ્રાર્થનાસભા તા.29ને ગુરુવારે સવારે 10થી 11 દરમિયાન ઉદ્યોગનગરના મીરાનગરમાં
આવેલ ઓમકારેશ્વર મંદિરે, ભાઈ-બહેનોની સંયુક્ત છે.
ઉપલેટા:
પટેલ ભીખાભાઈ ભગવાનજીભાઈ કપુપુરા (ઉં.96) તે કિશોરભાઈ, પરસોત્તમભાઈ, અશોકભાઈના પિતાશ્રીનું
તા.27ના અવસાન થયું છે. બેસણું તા.29ના સાંજે 4થી 6, ખોડિયાર મંદિર, વસોયાવાડી, ઉપલેટા
છે.
વાંકાનેર:
મોટાલુણસર નિવાસી હાલ વાંકાનેર રમેશચંદ્ર (રાજુભાઈ) મણીલાલ કારીયા (ઉં.60) તે પીન્ટુભાઈ,
આનંદભાઈ, દિનેશભાઈ, છબીલદાસ તથા ચાર્મીબેન ભાવિનકુમાર કક્કડના મોટાભાઈ, વાંકાનેર નિવાસી
ભીંડોરા રમેશભાઈ કરશનદાસના ભાણેજ જમાઈનું તા.26ના અવસાન થયું છે. ઉઠમણું, સ્વસુર પક્ષની
સાદડી તા.30ના સાંજે 5થી 5-30, જલારામ મંદિર, ભાટીયા સોસાયટી, વાંકાનેર છે.
જામનગર:
સ.ઔ.ઝા બ્રાહ્મણ અને નિવૃત્ત શિક્ષિકા તરલાબેન પ્રવિણચંદ્ર પંડયા (ઉં.84) તે સ્વ.પી.જે.પંડયા
(નિવૃત્ત એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ)ના પત્ની, નેહાબેન નરેન્દ્રભાઈ પંડયા, દિપાલીબેન
ભરતભાઈ પંડયા, બ્રિજેશભાઈ ભરતભાઈ પંડયાના માતા, સ્વ.હર્ષવંત પંડયા (જયહર્ષ) અને યગ્નદત
પંડયાના બહેનનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.29ના સાંજે 5થી 5-30, પાબારી હોલ,
જામનગર છે.
રાજકોટ:
દશા સોરઠિયા વણિક મૂળ રાજકોટ હાલ અમદાવાદ મુકેશભાઈ વખારીઆ તે જયંતીલાલ વખારિયાના પુત્ર,
હીનાબેનના પતિ, સ્વ.ચંદુભાઈ ધ્રુવ (જામનગર)ના જમાઈ, સુકેતુ, હિમાનીના પિતાશ્રી, રશ્મિભાઈ,
રશેષ શૈલેષભાઈ વખારીયાના ભાઈ, ઉર્વી, હેમલભાઈ કલ્યાણીના સસરા, હર્ષિલભાઈ, ભાવિનીના
કાકાનું તા.24ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.29ના સાંજે 4-30થી 6-30, દ્વારકાશીધર
હાઈટસ (બેન્કવેટ હોલ), શીતલ પાર્ક બસ સ્ટોપ પાસે, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ છે. મો.નં.94287
92359
દેહદાન
રાજકોટ:
સંઘાણી મંજુલાબેન કૃપાશંકરનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર અને જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી દેહદાન કરાવેલ છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા
60મું દેહદાન થયેલ છે. આ દેહદાન જે.વી.શાહના સહયોગથી થયેલ છે.
ધ્રાંગધ્રામાં
ગિરનારી ગ્રુપના સમાજ સેવક પ્રહલાદસિંહ ઝાલાનું અવસાન
ધ્રાંગધ્રા:
ધ્રાંગધ્રા શહેરમાં છેલ્લા 40 વર્ષથી બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરતા ગિરનારી ગ્રુપના
પ્રહલાદસિંહ ઝાલાનું વૃદ્ધાવસ્થાના લીધે અવસાન થયું છે. ગિરનારી ગ્રુપના પ્રહલાદસિંહ
ઝાલા વર્ષોથી ધ્રાંગધ્રા ખાતે અનેક બિનવારસી લાશની અંતિમવિધિ કરી ચૂક્યા છે. સ્વખર્ચે
સેવાકીય કાર્ય કરતા પ્રહલાદસિંહ ઝાલા ધ્રાંગધ્રા
પંથકમાં આગવી ઓળખ ધરાવતા હતા, જેઓનું વૃદ્ધાવસ્થા લીધે અવસાન થતા તેઓની અંતિમવિધિ મંગળવારે
કરાઇ હતી. તેમની સ્મશાન યાત્રામાં પણ મોટી સંખ્યામાં સામાજિક કાર્યકરો તથા વિવિધ સંસ્થાના
આગેવાનો સહિતના લોકો જોડાયા હતા.