• રવિવાર, 01 જૂન, 2025

avshan nodh

ચક્ષુદાન

પોરબંદર: સમસ્ત સોરઠિયા રબારી સમાજના પૂર્વ પ્રમુખ વીરાભાઇ સરમણભાઇ ગરચર (ઉં.72) તે લક્ષ્મણભાઇ, રાણીબેન, નાથીબેન અને જીતુબેનના ભાઇ, વિનયભાઇના પિતાશ્રીનું તા.29ના અવસાન થયું છે. સદ્ગતનું ચક્ષુદાન કરવામાં આવ્યું હતું.

રાજકોટ: સોરઠિયા શ્રીગોડ માળવિયા બ્રાહ્મણ મૂળ ચલાળા, હાલ જૂનાગઢ સ્વ. હિંમતલાલ પ્રભાશંકર ભટ્ટના પુત્ર, ઇન્દુકુમાર (ઉં.69) તે સ્વ. નવનીતભાઇ, સ્વ. ચંદ્રકાંતભાઇ, સ્વ. રમેશભાઇના નાનાભાઇ, અરણિયાળા નિવાસી સ્વ. જયંતીલાલ કાનજીભાઇ પુરોહિતના જમાઇ, અંજનાબેન કુશલકુમાર ભટ્ટ, પીયૂષભાઇના પિતાશ્રીનું તા.29ના અવસાન થયું છે. બેસણું, શ્વસુર પક્ષની સાદડી તા.31ના સાંજે 5થી 6 જૂનાગઢ મુકામે શાંતેશ્વર મહાદેવ મંદિર, જોષીપરા ખાતે છે.

રાજકોટ: વાંઝા દરજી, પ્રેમિલાબેન (બબીબેન) ખીમજીભાઇ ભદ્રશા, તે હેમતભાઇ, મુકેશભાઇ, પ્રકાશભાઇ, દીપકભાઇ, અલ્કેશભાઇના માતુશ્રીનું તા.30ના અવસાન થયું છે. બેસણું તા.31ના સાંજે 5થી 6 હરિદ્વાર હેવન,  પહેલા માળે, નાના મવા રોડ, મસાલા માર્કેટ પાછળ, પાર્ક એવન્યુ સામેની શેરી, રાજકોટ છે.

મુંબઇ: કિન્નરી સમીર (અનમ) ઠક્કર (ઉં.53) તે કિરણ કિશોરચંદ્ર હરીરામ (અનમ) ઠક્કરના પુત્રવધુ, સ્વ. કુસુમબેન ચંદ્રકાંત ભાણજી ચંદેનાં પુત્રી, મેલ્વીનના માતા, સ્વ. કમલેશ, કુંતલ કુમારભાઇ ગોસરના બહેન, અમિત, છાયાના ભાભીનું તા.28ના અવસાન થયું છે. પ્રાર્થના, બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ છે.

રાજકોટ: હળવદ નિવાસી કાંતિલાલ કે. જાની (રીટાયર્ડ મામલતદાર) તે દિપક જાની (એસ્સાર પાવર), હિનાબેન રાવલ, ગીતાબેન જોષી, હિરણબેન જાનીના પિતાશ્રી, ધર્મેન્દ્ર રાવલ, ડો. મેહુલ જોષી, રાજેન જાનીના સસરાનું અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.30ના હળવદ ખાતે બ્રાહ્મણની ભોજન શાળામાં તા.1ના જામનગર ખાતે ગીતા મંદિર હોલ, પારસ સોસાયટી ખાતે સમય 5 થી 6 દરમિયાન રાખેલ છે.

પોરબંદર: જેઠાલાલ પોપટલાલ ઉનડકટ (કાગદી) (ઉ.86) તે હિતેશભાઇ (મુન્નો) તથા અલ્કાબેનના પિતાશ્રી, હસમુખભાઇ (જય પ્રેસ)ના મોટા ભાઇનું તા.30ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.31ના 4 થી 15 થી 4-45 પોરબંદરની લોહાણા મહાજનવાડીના પ્રાર્થના સભા હોલ ખાતે ભાઇ-બહેનોની સંયુકત છે.

મોરબી: બરવાળા નિવાસી (હાલ મોરબી), વિનોદભાઇ (વિનુભાઇ), દુર્લભજીભાઇ ઠોરીયા (ઉ.60) તે ધ્રુવદીપભાઇના પિતાનું તા.30ના અવસાન થયું છે. બેસણું તા.2/6ના સવારે 8 થી 10 ગુરૂલાભદેવ હોલ, લીલાપર રોડ, મોરબી છે.

તાલાલા (ગિર): મનસુખલાલ વ્યાસના પુત્ર વિહારકુમાર (ઉ.24) તે દિનેશચંદ્ર તથા સનથભાઇ તથા રસીકભાઇનાં ભત્રીજાનું તા.29મીએ અવસાન થયું છે. બેસણું તા.31ના સાંજે 4  થી 6 ભુતનાથ મંદિર, પીપળવા રોડ, તાલાલા (ગિર) ખાતે રાખેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક