• રવિવાર, 01 જૂન, 2025

avshan nodh

ગોંડલ સંપ્રદાયના કૃપાબાઈ મહાસતીજી કાળધર્મ પામ્યા

રાજકોટ: ગોંડલ સંપ્રદાયના રતિલાલજી મ.સાના પરિવારના મુક્ત-લીલમ મહાસતીજીના શિષ્યા કૃપાબાઈ મ.સ.85 વર્ષની વયે 53 વર્ષના દીક્ષા પર્યાય સહીત તા.29ના બપોરે 12-39 કલાકે સમાધિભાવે કાળધર્મ પામ્યા છે.

વેરાવળના મંગળાબેન જયંતીલાલ સંઘવી પરિવારમાં જન્મ ધારણ કરનાર કૃપાબેને શ્રમણી વિદ્યાપીઠ-ઘાટકોપરમાં જ્ઞાનાભ્યાસ કરેલ. 1972ના વૈશાખ સુદ-6ના મુંબઈ ખાતે દીક્ષા અંગીકાર કરેલ. સાંજે 5 કલાકે રોયલ પાર્ક જૈન મોટા સંઘ ઓમાનવાલા ઉપાશ્રયેથી પાલખીયાત્રા નીકળી હતી. ગોંડલ ગચ્છ શિરોમણી જશરાજજી મ.સા, ધીરગુરુદેવ, સુશાંતમુનિ મ.સાએ ગુણાંજલી અર્પણ કરેલ હતી.

 

સ્કીન ડોનેશન

રાજકોટ: જયેશભાઈ મગનભાઈ પટેલનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન તથા સ્કીન ડોનેશન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશ, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 704મું ચક્ષુદાન તથા સ્કીન ડોનેશન થયેલ છે. 

ચક્ષુદાન

વેરાવળ: વાણંદ દિનેશચંદ્ર અમૃતલાલ માવધિયા (નટુભાઈ)(ઉં.70)(િરટા.િસનિયર ક્લાર્ક વેરાવળ સિવિલ કોર્ટ) તથા (વેરાવળ બાર એસોસિયેશનના સભ્ય) તે અમૃતલાલ છગનલાલ માવધીયા (બટુકભાઈ)ના પુત્ર, કિશોરભાઈ (બીએસએનએલ)ના મોટાભાઈ, જીજ્ઞેશભાઈ (એડવોકેટ), સંદીપભાઈ, અર્ચનાબેન રાજેશકુમાર ચૌહાણના પિતાશ્રી, દીપકભાઈ, કિશોરભાઈ વનમાળીભાઈ ચુડાસમાના બનેવીનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.30ના 4થી 6, ગાયત્રી મંદિર, જૂનો ડાભોર રોડ, વેરાવળ છે. સદ્ગતના ચક્ષુઓનું ચક્ષુદાન કરેલ છે.

ઉપલેટા: ગુજરાતી મચ્છુ કડિયા દરજી ગુણવંતીબેન વિનોદરાય ચાવડા (ઉં.84) તે સ્વ.િવનોદરાય જે.ચાવડાના પત્ની, સંજયભાઈ, દીપુભાઈ ચાવડાના માતુશ્રી, પાર્થના દાદીનું અવસાન થયું છે. બેસણું તા.31ના સાંજે 5થી 6, દરજી જ્ઞાતિની વાડીની દેવરામ શેરી, ઉપલેટા છે.

જામખંભાળીયા: સ્વ.કેશવજી ગોકલદાસ પાબારીના પત્ની (િસદ્ધપુરવાળા) કાંતાબેન (ઉં.92) તે દિનેશ કે.પાબારી, ભરતભાઈ, સંચળબેન, હંસાબેન, ભાવનાબેનના માતા, નીસીત તથા મીત તથા મીતાલીના દાદીનું અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.30ના સાંજે 5થી 5-30, જલારામ મંદિરે ભાઈઓ તથા બહેનો માટે સાથે છે. જામખંભાળીયા રાવલના નારણદાસ દેવશીભાઈ પોપટની દીકરી પિયર પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: રવિભાઈ જાગાભાઈ બોળિયા તે રાજકોટ જાગાભાઈ દેવાભાઈના પુત્ર, બાલાભાઈ, હીરાભાઈ, નારણભાઈના ભત્રીજાનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.31ના સાંજે 4થી 6, સ્વામીનારાયણ ચોક, માલવીયા કોલેજ પાછળ, રાજકોટ છે.

રાજકોટ: હળવદ નિવાસી હાલ રાજકોટ હિતેશભાઈ પ્રાણલાલ શુક્લનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.30ના હળવદ બ્રાહ્મણ બોર્ડિંગ, એસ્ટ્રોન ચોક, રાજકોટ છે.

સાવરકુંડલા: ઉર્મિલાબેન નાનાલાલ મહેતા (ઉં.93) તે પ્રકાશભાઈ નાનાલાલ મહેતાના માતાનું તા.26ના અવસાન થયું છે.

સાવરકુંડલા: અનિલાબેન નીતિનકુમાર ભટ્ટ તે નીતિનભાઈ ગુલાબરાય ભટ્ટના પત્ની, જતીનભાઈ, રક્ષાબેન, ધર્મેન્દ્રભાઈ, નિશાબેનના ભાભીનું અવસાન થયું છે.

સાવરકુંડલા: જયંતીલાલ હંસરાજભાઈ સુચક (ઉં.80) તે ભાયલાલભાઈ, શાંતિલાલ, અમૃતલાલ, ચંદુલાલ, હસમુખભાઈ, દિલીપભાઈના પિતાશ્રીનું તા.28ના અવસાન થયું છે.

સાવરકુંડલા: મોનજીભાઈ મોહનલાલ મેર (ઉં.89) તે પંકજભાઈ, મનોજભાઈ, ધર્મેશભાઈના પિતાશ્રીનું તા.26ના અવસાન થયું છે.

રાજકોટ: મનસુખભાઈ મનજીભાઈ ઘેલાણી (વડીયા)ના પત્ની હંસાબેન તે મનસુખભાઈ ગલાલચંદ મેઘાણીના પુત્રી, કીર્તિભાઈ, સ્વ.હરેન્દ્રભાઈ, પ્રજ્ઞેશભાઈ મેઘાણીના બહેન, નીતાબેન નરેન્દ્રકુમાર મહેતા, રીટાબેન જયેશકુમાર ચોક્સી, અશ્વિનભાઈ, ભાવેશભાઈ, ચેતનભાઈના માતુશ્રી, ચેતનાબેન, સોનલબેન, પન્નાબેનના સાસુ, ધારા, શ્રુતી, શુભમ, વર્ધન, પાર્શ્વ તથા વિવાનના દાદીનું તા.29ના અવસાન થયું છે. ઉઠમણું-પ્રાર્થનાસભા તા.31ને શનિવારે સવારે 10 કલાકે, પ્રાર્થનાસભા સવારે 11 થી 12, વિરાણી વાડી, યુનિટ નં.1, કોઠારિયા નાકા, રાજકોટ છે.

જામનગર: અનસુયાબેન નટવરલાલ ટોલિયા તે ડબાસંગ નિવાસી સ્વ.નટવરલાલ ઝવેરચંદભાઈ ટોલિયાના પત્ની, નીલેશભાઈ, અમિતભાઈ, સોનલબેન પ્રશાંતભાઈ શેઠના માતુશ્રી, સેજલબેન, નિશાબેન, પ્રશાંતભાઈના સાસુ, ધરમ, જીલ, મનના દાદીનું તા.29ના અવસાન થયું છે. ઉઠમણું તા.30ના સવારે 9-30 વાગ્યે કામદાર વાડી, અંબર ટોકિઝ પાસે, જામનગર છે. પિયર પક્ષની સાદડી સાથે છે. પ્રાર્થનાસભા તા.31ના સવારે 10-30થી 11-30, કામદાર વાડી, અંબર ટોકિઝ પાસે, જામનગર છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક