• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

ગિરનાર સર કરવા દેશભરના સ્પર્ધકો સજ્જ

રાષ્ટ્રીય ગિરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધાનું તા. 2 ફેબ્રુઆરીએ આયોજન : ભવનાથ તળેટીથી અંબાજી મંદિર સુધી યોજાશે સ્પર્ધા

જૂનાગઢ, તા.23 : અખિલ ભારત ગિરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધા ગુજરાત રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ સંચાલિત ભારતભરના યુવક અને યુવતીઓ માટેની અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોણ સ્પર્ધા આગામી તા.2 ફેબ્રુઆરીએ ભવનાથ તળેટીથી અંબાજી મંદિર (5500 પગથિયાં) સુધી યોજાશે.

આ સ્પર્ધામાં ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાંથી અરજી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢ ખાતે આવ્યાં છે. ઉપરાંત ગુજરાત રાજ્યનાં 5 જુદાં જુદાં સ્થળ જેવા કે ઓસમ પર્વત, ચોટીલા પર્વત, ઈડર પર્વત, પાવાગઢ પર્વત અને પારનેરા પર્વત ખાતે યોજાતી આરોહણ - અવરોહણ સ્પર્ધાના પ્રથમ 10 વિજેતા અને રાજ્યકક્ષા ગિરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધાના પ્રથમ 25 વિજેતા આ સ્પર્ધામાં ભાગ લેશે.

આ સ્પર્ધાની તૈયારીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ 8 (આઠ) સમિતિની રચના કરવામાં આવી છે. સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓએ 31 જાન્યુઆરીના રોજ સિનિયર/જુનિયર ભાઈઓ માટે સનાતન ધર્મશાળા અને સિનિયર/જુનિયર બહેનો માટે ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિની વાડી, ભવનાથ તળેટી ખાતે રિર્પોટિંગ, નિવાસ વ્યવસ્થા રાખી છે અને આગામી 31 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી સ્પર્ધામાં ભાગ લેનાર દરેક ખેલાડીઓનું સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કરવામાં આવશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025