ઢીચડા રોડ પર ત્રણ જેસીબી મશીન
દ્વારા દબાણ દૂર કરાયું, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
જામનગર, તા.14: જામનગર શહેરના
ઢીચડા રોડ પર આવેલા ગેરકાયદે ધાર્મિક સ્થળનું આજે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.
મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગ દ્વારા સરકારી જમીન પરના દબાણોને દૂર કરવાની કામગીરી હાથ
ધરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય
બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરાસિંહ ઝાલા અને
રાજેન્દ્ર દેવધા સહિતના પોલીસ અધિકારીઓની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં
આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા અગાઉ આ ગેરકાયદે બાંધકામ અંગે નોટિસ પાઠવવામાં આવી
હતી. આજે ત્રણ જેસીબી મશીન દ્વારા આ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાની કામગીરી હાથ
ધરવામાં આવી હતી. સમગ્ર કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બની હોવાનું અને સફળતાપૂર્વક
સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.