- પાકિસ્તાની હુમલા નાકામ કરવા પહેલી વખત થયો શાનદાર ઉપયોગ : એક જ વખતમાં 72 મિસાઈલ છોડવા સક્ષમ
નવી
દિલ્હી, તા. 8 : ભારતે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાને નિશાન બનાવતા પાકિસ્તાને ભારતના
15 શહેર ઉપર હુમલાની કોશિશ કરી હતી. જેને એર ડિફેન્સ સિસ્ટમને નાકામ કરી દીધી હતી.
ભારતે પાકિસ્તાની હુમલાને નાકામ કરવા માટે એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ, જેને સુદર્શન-400
કહેવામાં આવે છે તેનો ઉપયોગ કર્યો હતો. પહેલી વખત ભારતે આ શાનદાર એર ડિફેન્સ સિસ્ટમનો
ઉપયોગ કર્યો છે. જે રશિયા પાસેથી ખરીદવામાં આવી છે. જો કે ખરીદી સરળ રહી નહોતી અને
અમેરિકાએ આ ડીલ રોકવા ઘણા પ્રયાસ કર્યા હતા અને ભારતને પ્રતિબંધની ધમકી પણ આપી હતી.
ભારતે
2018મા એસ-400 માટે સોદો કર્યો હતો.જેની પડતર પાંચ અબજ ડોલરથી વધારે હતી. જો કે તમામ
અડચણો વચ્ચે ડિસેમ્બર 2021માં એસ-400નું પહેલું યુનિટ ભારત પહોચ્યું હતું. ભારતે કુલ
ત્રણ સિસ્ટમ મળી ચુકી છે અને બે હજી બાકી છે. એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને દુનિયાની
સૌથી પ્રભાવશાળી એર ડિફેન્સ સિસ્ટમમાંથી એક માનવામાં આવે છે. જે તમામ પ્રકારની મિસાઈલને
હવામાં નષ્ટ કરી શકે છે. જરૂર પડયે તેને પાંચથી 10 મિનિટમાં પ્રભાવિત વિસ્તારમાં તૈનાત
કરી શકાય છે. એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ બેલેસ્ટીક મિસાઈલ ઉપરાંત વિમાન, ક્રુઝ, હાઈપરસોનિક
હથિયારોને પણ ક્ષણભરમાં તબાહ કરી શકે છે. રિપોર્ટ અનુસાર એસ-400 એક વખતમાં 72 મિસાઈલ
છોડી શકે છે. આ એક મોબાઈલ સિસ્ટમ છે. જેને સડક મારફતે કોઈપણ સ્થળે લઈ જઈ શકાય છે.