• શનિવાર, 31 મે, 2025

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: કુસુમબેન હસમુખલાલ ખારાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર ચક્ષુદાન કરેલું છે.  જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 696મું ચક્ષુદાન થયેલું છે.

રાજકોટ: મંજરીબેન કિર્તિકાંત મહેતા (ઉ.79) તે ચીમનલાલ મહેતાના પુત્રી, સ્વ. રશ્મિકાંત, ધીરેન્દ્ર, કિશોરભાઇ, સ્વ. હરસુતાબેન, ભદ્રાબેન, મીનાક્ષીબેનના ભાભી, તેજસના માતા, જ્હાન્વીના સાસુ, જેનીલ, ફૈયાના દાદી, ધૈર્યેસ, પ્રજ્ઞેશ, નિલેશ, જીજ્ઞા,  આરતી, કિરણ, ધામિનિ, દિપ્તિ, પ્રિતિના કાકી, માલતીબેન સંઘવીના બહેન તા.19ના અવસાન થયું છે. લૌક્કિ ક્રિયા બંધ રાખેલી છે.

રાજકોટ: મનસુખલાલ અમૃતરામ કુબાવત (ઉ.79) તે કમલેશભાઇ, (પ્રાથમિક શિક્ષક- વિસામણ), સુરેશભાઇ, જાગૃતિબેન તેમજ હંસાબેનના પિતાનું તા.18ને રવિવારે અવસાન થયું છે. બેસણું તા.23ને શુક્રવારે નીલકંઠ મહાદેવ મંદિર, આસ્થા ટાઉનશિપની અંદર, બાપા સીતારામા ચોક, એસઆરપી કેમ્પ ઘંટેશ્વરની બાજુમાં, ન્યૂ 150 રીંગ રોડ, રાજકોટ ખાતે સાંજે 4 થી 6 છે.

રાજકોટ: જસ્મીતાબેન કમલેશભાઇ શાહ (ઉ.48) તે શાહ હસમુખરાય ઉજમશીના પુત્રવધૂ, મોહિત અને ધ્રુવિલના માતા તથા યકિનભાઇ (મહાવીર સ્ટીલ), રાજુભાઇ (સાધના), સંજયભાઇ, ગોપીબેનના ભાભી તેમજ હિનલ, જૈની, આયુષ, નૈતિકના ભાભુ અને  ધીરજલાલ મોહનલાલ ઘાટલીયાની પુત્રીનું રવિવાર તા.18ના અવસાન થયું છે. ઉઠમણું અને પ્રાર્થના સભા ગુરૂવાર તા.22ના સવારે 10 થી12 જનકલ્યાણ હોલ, જનકલ્યાણ સોસાયટી, રાજકોટ ખાતે છે.

રાજકોટ: રાજગોર બ્રાહ્મણ વિનોદરાય કાંતિલાલ ખાંડેખા (ઉ.59) તે પ્રવિણભાઇના મોટા ભાઇ તથા પિયુષ અને વિમલના પિતાનું તા.19ને સોમવારે અવસાન થયું છે. બેસણું તા.21ને બુધવારે સાંજે 5 થી7 તેમના નિવાસ સ્થાન ન્યુ કેદારનાથ સોસાયટી, શેરી નં.9, ગોવિંદનગર મેઇન રોડ, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે છે.

બગસરા: નિર્મળાબેન વાલેરા (લંડન) (ઉ.93) તે સ્વ. નટવરલાલ કલ્યાણજીભાઇ વાલેરાના પત્ની તે સ્વ. કિશોરભાઇના ભાભી તેમજ કૌશિકભાઇના માતા તેમજ જયપ્રકાશભાઇ, સ્વ. વિજયભાઇ, જયેશભાઇ, અનિલભાઇના ભાભુનું (લંડન) મુકામે તા.18ને રવિવારે અવસાન થયું છે.

ચિતલ:  રસિલાબેન જોશી (ઉ.92)તે ઔદિચ્ય ઘેલારામજી બ્રાહ્મણ જ્ઞાતિના ચિતલ નિવાસી સ્વ. શાંતિલાલ રતિલાલ જોશીનાં પત્ની,  સોમનાથ- વેરાવળ નિવાસી શરદભાઇ, કનકભાઇ, ભાવનાબેન મુકેશકુમાર મહેતા, સ્વ. રેણુકાબેન શરદકુમાર રાજયગુરૂના માતા, હર્ષદરાય રતિલાલ જોશીનાં ભાભી અને સરધારના પ્રેમશંકરભાઇ રાજયગુરૂનાં બહેનનું તા.19ને સોમવારે અવસાન થયું છે. બેસણું તા.22ને ગુરૂવારે ચિતલ મુકામે તેમના નિવાસસ્થાને છે.

ડેડાણ: રસીદાબેન તે ટીંબી નિવાસી અબ્દુલભાઇ ભાણજીભાઇ મુરધાણીના  પત્નીનું અવસાન થયું છે. તેમના પરિવારના હૈદરભાઇ મુરધાણી, મુરાદભાઇ મુરધાણી, આબીદભાઇ કાઝાણી, વજીરભાઇ મુરધાણી, છોટુભાઇ મુરધાણી તે રૂબફ ખોજા જમાતખાના હોલમાં ધારાસભ્ય હીરાભાઇ સોલંકી અને ટેકેદારોએ સાંત્વના પાઠવી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક