• શનિવાર, 31 મે, 2025

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: કિશોરભાઇ વ્રજલાલ રાઠોડનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 697મું ચક્ષુદાન થયેલ છે. આ મે.2025 મહિનામાં સાતમું (7) ચક્ષુદાન થયેલ છે. ચક્ષુદાન ડો. હિરેન પટેલના સહયોગથી થયેલ છે.

કેશોદ: મનહરલાલ જયપ્રસાદ પંડયા (ઉ.80) તે રાજુભાઈ, મનીષભાઈ, સચીનભાઈ, વાસંતીબેન પરેશકુમાર પાઠક (માળિયા), લીનાબેન જયેશકુમાર પુરોહીત (કેશોદ)ના પિતા, હેત્વી, શુભમ અને દીર્ઘાના દાદાનું તા.20ના અવસાન થયું છે. ઉઠમણું તા.26ના સાંજે 4 કલાકે તેમના નિવાસ સ્થાને ગેલાણા ખાતે છે.

રાજકોટ: કાલીદાસ કુરજીભાઈ હદવાણી તે કિર્તનભાઈ કાલીદાસ હદવાણીના પિતાશ્રી, સુધીરભાઈના કાકાનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.22ના સવારે 8 થી 11, સોમેશ્વર મહાદેવ મંદિર, રવિરત્ન પાર્ક સોસાયટી શેરી નં.4, ઈન્દીરા સર્કલ પાસે, રાજકોટ છે.

રાજકોટ: વાળંદ શારદાબેન દિનેશભાઈ ભટ્ટી (ઉ.76) તે દિનેશભાઈ વૃજલાલભાઈ ભટ્ટીના પત્ની, ચંદ્રેશભાઈ, કેતનભાઈ, નિલેશભાઈના માતા, સ્વ.ડીગી, દર્શિતા, ક્રિષ્ના, ભાર્ગવ, જયના દાદીનું તા.17ના અવસાન

થયું છે.

જૂનાગઢ: રાજકોટ નિવાસી ગુર્જર ક્ષત્રિય કડિયા કુંભાર નિર્મળાબેન બાલુભાઇ મકવાણા (ઉ.86) (ઉપલેટા વાળા) તે ગુણવંતભાઇ, નવીનભાઇ, સુધીરભાઇ અને ભારતીબેન જયંતકુમાર કાચાના માતુશ્રી,અમિત, ચિંતન, આશુતોષ, અંકિત, જય, પ્રાર્થનાના દાદીનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.22ના સાંજે 4-30 થી 6-30 ભીમનાથ મહાદેવ મંદિર, ગાયત્રીનગર, રાજકોટ છે.

વાંકાનેર: વાંકાનેર પ્રિન્ટીંગ પ્રેસવાળા સ્વ. પ્રાણલાલ જટાશંકર મહેતાના પુત્ર હિમાંશુભાઇ (ઉ.78) ત ઉષાબેનના પતિ, જીગીશભાઇ તથા રિધ્ધીબેનના પિતાશ્રી, સેજલબેનના સસરા, જેતપુર નિવાસી છોટાલાલ પંચમીયાના જમાઇનું તા.19ના અવસાન થયું છે. ઉઠમણું તા.22ના સવારે 10 કલાકે પ્રાર્થના સભા સવારે 11 કલાકે દિગમ્બર જૈન સ્વાધ્યાય હોલ, માર્કેટ ચોક, વાંકાનેર છે.

બરવાળા, તા. મેંદરડા: સોરઠીય શ્રીગૌળ માળવીયા બ્રાહ્મણ લલીતકુમાર મનસુખલાલ ભટ્ટ (ઉ.63) તે રવિન્દ્ર, આકાશ, અવની પ્રશાંત  પુરોહિત (નાંદરખી)ના પિતાશ્રી, ઇશ્વરલાલ તથા સ્વ. રતીભાઇ, પ્રવિણભાઇ, સ્વ. હેમલતાબેન પંડયા (ધણકુલીયા), વનીતાબેન આર. પુરોહિત (રાજકોટ), જશુબેન જોષી (જૂનાગઢ) તથા ચંદ્રિકાબેન પુરોહિતના ભાઇ, સ્વ. બાલુશંકર રવિશંકર પંડયા (અજાબ)ના જમાઇનું તા.17ના અવસાન થયું છે. ઉઠમણું, શ્વસુર પક્ષની સાદડી, મોસાળ પક્ષની સાથે તા.22ના સાંજે 4 થી 6 લેઉવા પટેલ સમાજ, બરવાળા છે.

રાજકોટ: કપિલરાય  પંડયા (ઉ.74) તે ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ, મુદ્દગલ ગૌત્ર, સ્વ. કિશોરચંદ્ર ત્રિપુરાશંકર પંડયાના પુત્ર, સ્વ. સુરેશચંદ્ર કાંતિલાલ પંડયા, મહેન્દ્રભાઇ કાંતિલાલ પંડયા, સ્વ. યોગેશભાઇ કિશોરચંદ્ર પંડયા, અરૂણભાઇ, અતુલભાઇ, ચંદ્રપ્રભાબેન પ્રવીણકુમાર જોશી, સ્વ. કલ્પનાબેન રાજેન્દ્રકુમાર જોશીના ભાઇ, સ્વ. હિંમતલાલ હરિલાલ જોશીના જમાઇ, પ્રદીપભાઇ, વિમલભાઇ, અભયભાઇના બનેવી, ફાલ્ગુનીબેન વિજયકુમાર મહેતા, ધારીણીબેન કિરીટકુમાર જોશી, જીજ્ઞાબેન હિમાંશુકુમાર ત્રિવેદી, જ્યોતિબેન કૌશિકકુમાર પંડયાના પિતાશ્રીનું તા.18ના અવસાન થયું છે. બંને પક્ષનું ઉઠમણું/ બેસણું તા.22ના સાંજે 4-30 થી 6 ધારેશ્વર મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટ છે.

જામનગર: શ્રીગૌડ મેડતવાડ બ્રાહ્મણ જ્ઞાતિના સ્વ. વસંતરાય જેઠાલાલ જાની (ઉ.85) તે  નિમુબેનના પતિ, અશ્વિનભાઇ, વર્ષાબેન પ્રશાંતભાઇ જાની, દક્ષાબેન લાભશંકરભાઇ જોષીના પિતાશ્રી, નૈતિક, ઉદય, દર્શનના દાદાનું તા.19ના અવસાન થયું છે. ઉઠમણું તા.22નાં સાંજે 5 થી 5-30 જલારામ મંદિર, સાધના કોલોની, જામનગર છે.

રાજકોટ: મુકતાબેન વિઠ્ઠલદાસ કાનાણી (ઉ.86) તે સ્વ. વિઠ્ઠલદાસ કાકુભાઇ કાનાણી (ભાણવડ)નાં પત્ની, ભરતભાઇ (રીટાયર્ડ એસબીઆઇ), જ્યોત્સનાબેન ચાગલાણી, સ્વ. કિર્તીબેન કાનાબારનાં માતુશ્રી, ચિંતન કાનાણી તથા વિદિતા મિતુલકુમાર ખંધેડીયાના દાદી, સ્વ. મનસુખલાલ હંસરાજભાઇ મહેતા (ઘ્રાફા- ગોંડલ)ના બહેનનું તા.18ના નડીયાદ મુકામે અવસાન થયું છે. બેસણું તા.22નાં સાંજે 5 થી 6 સર્વેશ્વર મહાદેવ મંદિર, ઇનોવેટીવ સ્કૂલ સામે, મિલાપનગર, યુનિવર્સિટી રોડ, રાજકોટ છે.

રાજકોટ: ગ્રાહક સુરક્ષા મંડળ- તાલાળા (ગીર)ના ઉષાકાંતભાઇ પ્રાણલાલ વ્યાસ (ઉ.87) હાલ રાજકોટ તે સ્વ. શ્રીનિવાસભાઇ, સ્વ. કનુભાઇ, સ્વ. યશુબેન, સ્વ. ઇન્દુબેન, સ્વ.અરૂણાબેનના ભાઇ, હેમા, સ્વિટી, અમિત, ભાવિનના પિતાશ્રીનું તા.19ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા.22ના સાંજે 4 થી 6 છે. લૌક્કિ ક્રિયા બંધ રાખેલ છે.

જામનગર: ઉષાબેન કિરીટકુમાર હિંડોચા (મૂળ કાલાવડ- હાલ જામનગર) તે સ્વ. કિરીટકુમાર મગનભાઇ હિંડોચાના પત્ની તથા સ્વ. ચત્રભુજભાઇ પાવાગઢીના પુત્રી, સ્વ. મહેન્દ્રકુમાર, સ્વ. કનૈયાલાલ પાવાગઢીના બહેન, હેતલ પંકજકુમાર પોપટ, નિકિતા નિકુંજકુમાર કારીયા, હિરલ અભિષેકકુમાર દવેના માતુશ્રીનું, તા.19ના અવસાન થયું છે. ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.22ના 5 થી 530 જલારામ મંદિર સાધના કોલોની જામનગર છે.

ઇ-પેપરના નવા શુલ્ક