• રવિવાર, 04 મે, 2025

ગોવાના શિરગાંવમાં ભાગદોડ મચતાં સાત મોત, 50 ઘાયલ વીજતારના કરંટથી અચાનક અફરાતફરી : 20ની હાલત ગંભીર

બિચોલીમ, તા. 3 : ગોવાના શિરગાંવમાં લૈરાઈ યાત્રા દરમ્યાન ગઈકાલે શુક્રવારની મોડી રાત્રે અચાનક મચેલી ભાગદોડનો ભોગ બનતાં સાત લોકોનાં મોત થઈ ગયાં હતાં.

આ ઘાતક દુર્ઘટના અંગે શનિવારની સવારે જાણકારી મળી હતી. ભાગદોડમાં 50થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 20ની હાલત ગંભીર બતાવાઈ હતી.

મોટી સંખ્યામાં ભાવિકો યાત્રામાં જવા પહોંચ્યા ત્યારે જ વીજતારના કરંટથી કેટલાક લોકો પડી ગયા હતા. અફરાતફરી સાથે ભાગદોડ મચી હતી.

મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે ઘટનાની સઘન તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. સ્થાનિકે વ્યવસ્થાના અભાવથી આ ખતરનાક દુર્ઘટના સર્જાઈ હોવાની ચર્ચા જાગી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક