પાંચ મહિના પૂર્વે મૃત ભ્રૂણ મળી આવવાના બનાવમાં ચોંકાવનારી હકીકતો સામે આવી : સગીરા અને યુવતી સાથે દોઢ વર્ષથી દેહ વ્યાપાર કરાવતા હોવાનું ખુલ્યું
મહિલા
સહિત નવ આરોપીઓ સામે ગુનો નોંધાયો
જેતપુર
તા.27:
જેતપુર
શહેરમાંથી પાંચ મહિના પૂર્વે જાહેર જગ્યા પરથી એક મૃત માનવ ભ્રૂણ મળ્યું હતું. સામાન્ય
લાગતા આ બનાવમાં પોલીસ તપાસમાં સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. સગીરા અને યુવતી પાસે
દોઢ વર્ષથી દેહ વેપારનો ધંધો કરાવવામાં આવતો હતો. જેમાં સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર
બનાવનો પર્દાફાશ થયો હતો. આ ગુનામાં પોલીસે એક મહિલા સહિત નવ શખસ સામે ગુનો નોંધી તપાસ
હાથ ધરી છે.
મળતી
માહિતી પ્રમાણએ ગત તા. 30 જાન્યુઆરીના રોજ જેતપુરમાંથી એક મૃત માનવ ભ્રૂણ મળી આવ્યું
હતું. આ ભ્રૂણ બાબતમાં પોલીસે ગણતરીની કલાકોમાં માતાને શોધી લીધી હતી. જેમાં ભોગ બનનાર
સગીર વયની હોય તેણીના પિતાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી જેતલસર જંકશન ગામના યુવાન
કાનાભાઈ મકવાણાની ધરપકડ કરી હતી. અને ભ્રૂણનું, સગીરાનું તેમજ કાનાનું ડીએનએનું સેમ્પલ
સરકારી હોસ્પિટલ મારફત લેવડાવી પૃથક્કરણ માટે ગાંધીનગર ખાતે લેબોરેટરીમાં મોકલી આપ્યું
હતું. ત્યાર બાદ અંગત લાભ ખાતર સગીરને તપાસી તેણીને ગાર્ભપાતની દવા લખી આપનાર ડો. સુશીલભાઈ
ગાવિંદભાઈ કાનાણી તેમજ ગર્ભપાતની દવા આપનાર હરેશભાઈ કેશુભાઈ વિરડીયા, વિરડીયા મેડિકલ
સ્ટોરવાળાની ધરપકડ કરી હતી.
બીજીબાજુ
ભ્રૂણનું જે સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલ્યું હતું તેનો હાલમાં જ રીપોર્ટ આવી જતા તે
રીપોર્ટમાં ભ્રૂણ સાથે સગીરાનું ડીએનએ મેચ થઈ ગયું હતું. જયારે કાનાનું ડીએનએ મેચ થયું
નથી. જેથી ભ્રૂણનો બાયોલોજીકલ પિતા કોણ ? તે
જાણવાના હેતુસર પોલીસે સગીરાનું ફરીથી નિવેદન લેતા સગીર જેની સાથે કેટરર્સના કામે જતી
તે લાદીરોડ પર રહેતો અખ્તર ઓસમાણભાઈ ડબગર તેણીને તેમજ અન્ય એક સગીરાને તેના માતાપિતાને
કેટરર્સના કામમાં લઇ જાય છે તેવું જણાવી રાત્રીના સમયે બંનેને દેહ વેપાર માટે જુદા
જુદા લોકો પાસે જુદી જુદી જગ્યાએ મોકલતો હતો. અને અખ્તર પણ આ બંને સગીરાઓ સાથે શરીર
સબંધ બાંધતો હતો. જેથી સગીરાના નિવેદનના આધારે પોલીસે પોકસો તેમજ અન્ય કલમ ઉમેરવાનો
કોર્ટમાં રીપોર્ટ કરી તા. 12 મે ના રોજ અખ્તરની ધરપકડ કરી હતી. અને તેની પૂછપરછ કરતા
પોતે બંને સાથે શરીર સંબંધ બાંધતો હોવાનું સ્વીકારી, રાત્રી દરમિયાન ગ્રાહકો પાસે મોકલતો
તેમજ અન્ય એક મહિલા કે જે દેહ વેપાર કરાવે છે. તેણી પાસે પણ આ બંને સગીરાને મોકલતો
હતો. અને જેની પાસે અખ્તર સગીરાઓને દેહ વેપાર માટે મોકલતો તેવા ભાવિક ઉર્ફે ભાવેશભાઈ
ભુપતભાઈ મેણીયા, હિરજીભાઈ ઉર્ફે હિરાભાઈ નાગજીભાઈ પાઘડાર, વસંતગીરી હંસગીરી ગોસાઈ રહ.ઁ
ત્રણેય જેતપુર, સાગરભાઈ બાબુભાઈ ઝાલા રહે. ઉમરકોટ, શૈલેશભાઇ મેરામણભાઇ લખપીર રહે. સરધારપુર
આ પાંચ શખ્સોના પોલીસને નામ આપ્યા હતાં.
અખ્તર
સગીરાઓને કોની કોની પાસે દેહ વેપાર માટે મોકલતો તેવી પોલીસની પ્રારંભિક પુછપરછમાં તેણે
પાંચ શખ્સોના જ નામ આપ્યા હતા. પરંતુ એકથી દોઢ વર્ષ દરમિયાન તો અખ્તરે અસંખ્ય ગ્રાહકો
પાસે સગીરાઓને દેહ વેપાર માટે મોકલી હશે, જેથી પોલીસે વધુ આરોપીઓના નામ કઢાવવા, ઠામ
માટે અખ્તરને જેતપુર કોર્ટમાં દસ દિવસની રીમાન્ડ માટે રજૂ કરતા કોર્ટે સાત દિવસના રીમાન્ડ
મંજુર કર્યા હતાં. બીજીબાજુ ભોગ બનનાર સગીરાએ તેણી સાથે અન્ય સગીરા પણ ભોગ બની હોવાનું
પોલીસને જણાવ્યું અને આખરે બીજી સગીરા સાથે પણ શારીરિક સંબંધ અને દેહ વેપાર કરાવતો
હોવાની કબૂલાત આપતા પોલીસે બીજી સગીરાના માતાપિતાનો સંપર્ક કરી સગીરાના ઉંમરનો પુરાવો
માંગ્યો હતો. જેમાં તેણીના માતાપિતા પાસે ઉંમરના પુરાવા માટે એક માત્ર આધારકાર્ડ જ
મળ્યું હતું. જેમાં સગીરાની 15 વર્ષની ઉંમર બતાવી હતી. જેથી તેણીની વાસ્તવિક ઉંમર જાણવા
પોલીસે તેણીનો ઓસીફિકેશન ટેસ્ટ કરાવવા રાજકોટ હોસ્પીટલ ખાતે મોકલ્યો હતો. જેમાં રીપોર્ટમાં
તેણીની ઉંમર 19 વર્ષની આવી હતી.
આ બનાવ
અંગે સીટી પીઆઈ વી.સી. પરમારે જણાવ્યું કે, હાલ અખતરના રીમાન્ડ પૂર્ણ થઈ ગયાછે. અખ્તરે
રીમાન્ડ દરમિયાન બીજા કેટલાક શખ્સોના નામ પણ પોલીસને આપ્યા છે અને તે શખ્સોની ધરપકડ
કરવાની બાકી છે.
પોલીસ
સામાન્ય વાહન ચોરી, મોબાઈલ ચોરીમાં આરોપીઓના ફોટા સાથેની પ્રેસનોટ જાહેર કરી વાહવાહી
લૂંટતી હોય છે. તો આવો જધન્ય બનાવમાં એક નાનકડી સરખી પ્રેસનોટ પણ કેમ જાહેર ન કરી તે
એક મોટો પ્રશ્ન છે.