બેને
ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા: પોલીસે તપાસ
હાથ ધરી
મોરબી,
તા.28: મોરબી તાલુકાના ખારચીયા ગામના પાટિયા નજીક એસટી બસ પાછળ કાર ધુસી જવાનો બનાવમાં
2ના મૃત્યુ થયા છે. આ મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની
મળતી વિગત પ્રમાણે જામનગર ખાતે રહેતા અને એસટી બસના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા દિલીપકુમાર
દેવશંકરભાઈ જોષીએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે અર્ટીગા ગાડી જીજે39ટી7361એ
પૂર ઝડપે ચલાવીને સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા એસટી બસ જીજે 18 ઝેડ 5996 વાળીના
પાછળના ભાગે ભટકાડી દઈ અકસ્માત સર્જી આદિનારાયણ કુવરમાંપુરને તથા ધાલૈયાભાઈ કૃષ્ણમૂર્તિ
નવીરીને ગંભીર તથા સામાન્ય ઈજા પહોંચી હતી. તો કાશૈયા રામુલુ રોમ્પલી તથા રામાનુજ ચારુલું
જગનાથ ચારુલું પંચાગામના મૃત્યુ નીપજ્યા હતા. જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ
નોંધી વધુ તપાસ હાથ ધરી છે