રાજકોટથી
આવી, લગ્ન કર્યા અને રૂપિયા લઈ ચાલી ગઈ
જામનગર,
તા.11: જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નં.9નાં છેવાડે આવેલી લાલબહાદુર શાત્રી
સોસાયટીમાં 46 વર્ષીય વસવાટ કરતો જીજ્ઞેશભાઈ ગુણવંતરાય ખેતીયા નામના યુવાને લગ્ન કરવા
માટે કેટલાક વ્યક્તિઓને વાત કર્યા પછી તેમનો સંપર્ક જામનગરના રામેશ્વરનગર પાછળ આવેલા
વિનાયક પાર્ક નજીકની મધુરમ રેસીડેન્સીમાં રહેતા મીતાબેન ખેતીયા સાથે થયો હતો. આ મહિલાએ
જીજ્ઞેશભાઈને સારૂ પાત્ર શોધી આપવા માટે દિલાસો આપ્યા પછી રાજકોટમાં મેરેજ બ્યુરો ચલાવતા
મુકેશભાઈ ભીખાભાઈ મકવાણાનો કોન્ટેક્ટ કરાવ્યો હતો. આ વ્યક્તિઓએ જીજ્ઞેશભાઈ માટે યુવતી
શોધવાનું કામ શરૂ કરી દીધુ છે તેમ કહ્યા પછી રાજકોટની નુરીબેન નામની યુવતીનો મિલાપ
કરાવ્યો હતો.
આ યુવતીને
જોવાની વિધિ પત્યા પછી તેણીના ભાઈ તથા ભાભીને પૈસા આપવા પડશે તેમ વાત કરી હતી. તે પછી
નુરીબેનના લગ્ન જીજ્ઞેશ ખેતીયા સાથે કરાવી અપાયા હતા.
આ યુવતી
સાસરે આવ્યા પછી દોઢ દિવસમાં જ તેણે પોત પ્રકાશ્યું હતું. અહીં ગમતુ નથી, મારે રાજકોટ
જવું છે તેમ કહી આ યુવતીને નાટક શરૂ કર્યા હતા. સંબંધ ફોક કરવા અને પૈસા પાછા આપવાનું
કહેતા રૂ.ર0 હજાર મુકેશે પાછા આપ્યા હતા અને શબ્બીર નારોની નામના શખસે આ પ્રકરણમાં
એન્ટ્રી મેળવી મુકેશ પાસેથી રૂ.1 લાખનો ચેક જીજ્ઞેશભાઈને અપાવ્યો હતો ત્યાર પછી આ વ્યક્તિઓએ
છેતરપિંડી કરી હોવાનું જણાઈ આવતા જીજ્ઞેશભાઈ ખેતીયાએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં
મીતાબેન ખેતીયા, મુકેશ મકવાણા, નવવધૂ નુરીબેન, શબ્બીર નાગોરી તથા નુરીબેનના ભાઈ-ભાભી
સામે ફરિયાદ નોંધાવી છે.