ઉડાન ભરતી વેળાએ વૃક્ષ સાથે પાંખડા અથડાતા દુર્ઘટના ઘટી હોવાનું પ્રાથમિક તારણ
અમદાવાદ,
તા. 12 : અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ
આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી એર ઈન્ડિયાનું અમદાવાદથી લંડન જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું
હતું. પ્રાથમિક તારણ મુજબ, ઊડાન ભરતી વેળાએ
વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં
કોઇ ટેકનિકલ ખામી સર્જાઇ હોવાથી દુર્ઘટના સર્જાઇ હતી.
ડ્રીમલાઇનરે
ડિઝાઇન કરેલા આ બોઇંગ 787નું આયુષ્ય 44,000 ઉડાન સાયકલનું છે, જેનું સંભવિત આયુષ્ય
30થી 50 વર્ષનું હોય છે, જ્યારે મોટા ભાગના વાણિજ્યિક વિમાન એટલા લાંબા સમય સુધી સેવામાં
રહેતા નથી. જો કે, અમદાવાદમાં તૂટેલું આ વિમાન
ફક્ત સાડા 11 વર્ષ જૂનું હતું. બોઇંગ 787-8 ડ્રીમલાઇનર એક પહોળું, મધ્યમ લંબાઈનું,
લાંબી દૂરીનું એરક્રાફ્ટ છે, જે 210-250 સીટ સાથે 8500 નોટિકલ માઈલ્સનું અંતર કાપી
શકે છે. તે 20 ટકા ઓછા ઇંધણ વપરાશ સાથે તૈયાર કરવામાં આવ્યું છે, જે પર્યાવરણ માટે
પણ સારું છે.
સુરક્ષા
પગલાં
એડવાન્સ
સિક્યુરિટી ક્રાનિંગ : મુસાફરોનું એરપોર્ટ પર સખત રીતે ક્રીનિંગ કરવામાં આવે છે, જેમાં
સામાન, બોડી સ્કેન અને આઈડી ચકાસણીનો સમાવેશ થાય છે.
કોકપિટ
સિક્યુરિટી : 787-8માં કોકપિટ એક્સેસ કંટ્રોલ સિસ્ટમ છે, જે અનધિકૃત પ્રવેશને રોકવામાં
મદદ કરે છે.
સાયબર
સિક્યુરિટી : વિમાનની સિસ્ટમને હાકિંગથી બચાવવા માટે અદ્યતન સાયબર સુરક્ષા પદ્ધતિ છે.
ઈન્ટેલિજન્સ
આપ-લે : એરલાઇન્સ અને સરકારી એજન્સીઓને કોઈપણ જોખમોની અપેક્ષા રાખવામાં મદદ કરવા માટે
રિયલ-ટાઇમ ઈન્ટેલિજન્સ માહિતી મોકલે છે.
તૂટી
પડેલાં વિમાનમાં 58000 લીટર એરટર્બાઈન ઈંધણ હતું
અમદાવાદ,
તા. 12 : અમદાવાદમાં તૂટી પડેલું એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાને અમદાવાદથી
ઉડાન ભર્યા સીધું લંડન ઉતરાણ કરતું હોય છે, એટલે એમાં 58 હજાર લિટર એરટર્બાઈન ઈંધણ
હતું. જ્યારે ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થઈ, ત્યારે ઈંધણના મોટા જથ્થાના કારણે વિસ્ફોટ
થયો હતો અને વિમાન વિકરાળ આગમાં ઘેરાઈ ગયું હતું.