• શુક્રવાર, 13 જૂન, 2025

‘ભારતનો અવાજ દુનિયા સુધી પહોંચાડવા માટે ગર્વ છે’

ઓપરેશન સિંદૂર અને પહલગામ હુમલા માટે વિદેશ પ્રવાસ કરનારા પ્રતિનિમંડળોના સભ્ય સાથે મોદીની મુલાકાત

નવી દિલ્હી, તા. 11 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 33 દેશની રાજધાનીનો પ્રવાસ કરનારા સર્વપક્ષીય પ્રતિનિધિદળના સભ્યોની મેજબાની કરી હતી અને કહ્યું હતું કે તેઓને ગર્વ છે કે પહલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ આતંકવાદની સમસ્યાને સમાપ્ત કરવાની જરૂરીયાત ઉપર સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે વિભિન્ન દેશમાં ભારતના વિચારો ભાર પૂર્વક રજૂ કર્યા છે.

વડાપ્રધાન મોદીએ એક્સ ઉપર પોસ્ટમાં કહ્યું હતું કે, વિભિન્ન દેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા વિભિન્ન પ્રતિનિધિમંડળના સભ્યોની મુલાકાત કરી હતી અને શાંતિ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા અને આતંકવાદના જોખમને ખતમ કરવાની જરૂરિયાત ઉપર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. જે રીતે સભ્યોએ ભારતના અવાજને આગળ વધાર્યો તેના ઉપર તમામને ગર્વ છે. સભ્યોએ પીએમ સાથે પોતાના અનુભવોને શેર કર્યા હતા. કેન્દ્ર સરકાર પહેલા પણ 50થી વધારે સભ્યો ધરાવતા સાથ પ્રતિનિધિમંડળની કામગીરીની પ્રશંસા કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક