રાષ્ટ્રપતિ
ટ્રમ્પની ચેતવણી : હવે જરૂર પડયે સૈન્ય બળનો ઉપયોગ કરાશે
લોસ
એન્જેલસ, તા. 11 : ગેરકાયદે વસતા પ્રવાસીઓ પર કાર્યવાહીના વિરોધરૂપે હિંસાની આગ અમેરિકાનાં
12 રાજ્યના 25 શહેરમાં ફેલાઇ છે. લોસ એન્જેલસમાં સાંજે છ વાગ્યા પછી દરરોજ કર્ફ્યૂની
ઘોષણા કરાઇ હતી.
ભારે
ઉગ્ર વિરોધ પ્રદર્શન અને હિંસાથી વિકટ બનવા માંડેલી સ્થિતિ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પે ચેતવણી આપી હતી કે, હવે જરૂર પડશે તો સૈન્ય બળનો ઉપયોગ કરાશે.
લોસ
એન્જેલસમાં હિંસા જારી રહેશે તો આખાં શહેરમાં વિદ્રોહ કાયદો લાગુ થઇ શકે છે. આ કાયદો
સરકારને હિંસા રોકવા સૈન્ય બળનો ઉપયોગ કરવાની
છૂટ આપે છે.
સાનફ્રાન્સિસ્કો,
ડલાસ, ઓસ્ટિન, ટેકસાસ અને ન્યૂયોર્ક જેવાં શહેરોમાં પણ દેખાવકારો દ્વારા પ્રદર્શનો થવા માંડયાં હતાં.
રિપબ્લિકન
સાંસદ બિલ અસેટાલીએ એક પોસ્ટમાં કહ્યું હતું કે,
આ દેખાવો માટે ફન્ડિંગ ડેમોક્રેટ સમર્થિત સંગઠનો અને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની
સંસ્થાઓ કરી રહી છે.
દરમ્યાન,
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 14મી જૂનના વોશિંગ્ટનમાં થનાર સેના પરેડ દરમ્યાન
પ્રદર્શન સામે ચેતવણી આપી હતી.
ટ્રમ્પે
કહ્યું હતું કે, સેના પરેડ વખતે કોઇ પ્રદર્શન કરશે તો તેવા દેખાવકારોને સેનાનો સામનો કરવો પડશે.
હવે
યુદ્ધ થાય તો ટ્રમ્પ રોકી નહીં શકે : પાક નેતાનો બફાટ
વોશિંગ્ટન,
તા. 11 : આતંકને પોષતાં પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ દાવો કર્યો હતો
કે, હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાશે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે
તેને રોકવાનો સમય નહીં હોય.બિલાવલે ભારત પર બલુચિસ્તાનમાં દખલગીરી અને બલુચિસ્તાન લિબરેશન
આર્મી, તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન જેવા સંગઠનોને પીઠબળ પૂરું પાડવાનો પોકળ આરોપ મૂક્યો
હતો.
શું
દરેક આતંકવાદી હુમલા પછી યુદ્ધ છેડાવું જોઈએ. પાક શાંતિ ઈચ્છે છે, જે બન્ને દેશના હિતમાં
છે, તેવો ખોટો દાવો બિલાવલે કર્યો હતો. ચાલુ વર્ષે પાકમાં આતંકવાદ વધ્યો છે અને હિંસા
આમ જ જારી રહેશે તો 2025 ઈતિહાસનું સૌથી લોહિયાળ વર્ષ બની શકે છે, તેવું પાકના નેતાએ
જણાવ્યું હતું.