• શનિવાર, 31 મે, 2025

કારખાનેદારે વ્યાજે લીધેલા નાણાની પઠાણી ઉઘરાણી કરનાર બે વ્યાજખોર સામે ફરિયાદ

ટંકારા અને મોરબીના બે શખસ સામે મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધાયો

 

રાજકોટ, તા.18: શહેરમાં યુનિવર્સિટી રોડ પર રહેતા કારખાનેદારને વ્યાજે લીધેલા નાણાની પઠાણી ઉઘરાણી કરી ટંકારા અને મોરબીના બે વ્યાજખોરો ધાક-ધમકી આપતા હોવાની ફરિયાદ પોલીસે ચોપડે નોંધાતા પોલીસે મનીલેન્ડ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર રહેતા મુળ હડાળા ગામના વતની સાગરભાઈ દિનેશભાઈ ગડારા રૈયાગામ સ્મશાન પાસે પટેલ ડેકોર નામથી સીએનસી મશીનનું કામ કરે છે. ત્રણેક માસ પૂર્વે સાગરભાઈ ગડારાને ધંધામાં રૂપિયાની જરૂરિયાત ઉભી થતાં ટંકારાના અમિન યુસુફભાઈ માકડિયા પાસેથી 10 ટકાના વ્યાજે રૂપિયા 3 લાખ લીધા હતાં. જ્યારે મોરબીમાં રહેતા અને કપડાની દુકાન ધરાવતા વિપુલભાઈ અમૃતભાઈ અવાડિયા પાસેથી 10 ટકાના વ્યાજે રૂપિયા 1.50 લાખ લીધા હતાં. વિપુલભાઈ અવાડિયાએ એક મહિનાના વ્યાજના રૂપિયા 22,500 કાપી રૂપિયા 1,27,500 આપ્યા હતા અને તેની બદલે રૂપિયા 4 લાખનું નોટરી લખાણ કરાવ્યું હતું. સાગરભાઈ ગડારાએ બન્ને વ્યાજખોરોને ચેક પણ આપ્યા હતાં. તેમ છતાં બન્ને વ્યાજખોરો વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી ફોન ઉપર સાગરભાઈ ગડારા અને તેના પિતા દિનેશભાઈ ગડારાને અવાર નવાર ફોન કરી વ્યાજના રૂપિયાની માંગણી કરી ધાક-ધમકી આપતા હોવાથી સાગરભાઈ ગડારાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને વ્યાજખોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક