બેકેનહેમ
કાઉન્ટિ ગ્રાઉન્ડના ક્યૂરેટરનો ખુલાસો
લીડસ,
તા.11: બેકેનહેમ કાઉન્ટિ ગ્રાઉન્ડ પર ટીમ ઇન્ડિયાનો કન્ડીશનલ કેમ્પ શરૂ થઇ ગયો છે.
ઇન્ડિયા એ ટીમમાં સામેલ કેટલાક ખેલાડી કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, અભિમન્યૂ
ઇશ્વરન, શાર્દુલ ઠાકુર અને નીતિશ રેડ્ડી સિનિયર ટીમ સાથે જોડાય ચૂક્યા છે. આ દરમિયાન
હેડ કોચ ગૌતમ ગંભીરે ખેલાડીઓને ટેસ્ટ ક્રિકેટ માટે આર્દશ ગણાતી પિચ પર પ્રેક્ટિસ કરવવાની
યોજના બનાવી છે. આ માટે કોચ ગંભીરે બેકેનહેમ મેદાનના ક્યૂરટર જોશ માર્ડેનને ખાસ સૂચના
આપી છે.
આ જાણકારી
ખુદ ક્યૂરેટરે આપી હતી. તેણે કહ્યંy કે ટીમ ઈન્ડિયાના કોચ ગંભીરે અમારી પાસે ટ્રેનિંગ
માટે સારી પીચ માગી છે. આ પિચ ટેસ્ટ ક્રિકેટ માટે બોલિંગ-બેટિંગ માટે આદર્શ હોય તેવી
હોવી જોઈએ. એકદમ ઘાસવાળી પીચની જરૂર ન હોવાની સૂચના આપી છે.
તા.
20મીથી શરૂ થતાં પહેલા ટેસ્ટ અગાઉ ટીમ ઇન્ડિયાનો કોઇ વોર્મઅપ મેચ નથી. એટલે કોચ ગંભીરે
આવી પિચ પર ઇન્ટ્રા સ્ક્વોડ મેચ રમાડવાનું આયોજન કર્યું હોવાના રિપોર્ટ છે.