અમરનાથ
યાત્રાની સુરક્ષા માટે અપાયેલી ટ્રેનના બારી, દરવાજા તૂટેલા, સીટ ગાયબ, ચાર સસ્પેન્ડ
નવી
દિલ્હી, તા. 11 : અમરનાથ યાત્રાની સુરક્ષામાં તૈનાત થવા માટે જનાર સીમા સુરક્ષા દળ
(બીએસએફ)ના 1200 જવાનો માટે ઘણી રાહ જોવડાવીને મોડેથી માંડ મોકલાયેલી ટ્રેનની તૂટેલી
ફૂટેલી દશા જોતાં જ જવાનોએ તેમાં ચડવાની ના પાડી દીધી હતી.
પાંચ
દિવસ જૂના આ મામલાનો વીડિયો સામે આવ્યા બાદ રેલવે મંત્રાલયે ચાર રેલવે અધિકારીઓને ફરજમોકૂફ
કરી દીધા હતા. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે, ટ્રેનની સીટો પરથી ગાદીઓ જ આખી
ગાયબ હતી, ટોયલેટ તૂટેલાં હતાં. જીવડાઓ આખી ટ્રેનમાં ફરતા હતા.
ગત
છ જૂનના દિવસે ત્રિપુરાથી જવાનોને અમરનાથયાત્રા માટે જમ્મુ મોકલવાના હતા. આવી તૂટલ-ફૂટલ
હાલતવાળી ટ્રેનમાં બેસવાના સૈનિકોના ઈન્કાર બાદ ગઈકાલે મંગળવારે બીજી ટ્રેન ફાળવવી
પડી
હતી. અગાઉ પહેલીવાર જવાનો માટે અપાયેલી ટ્રેનના ડબ્બાની દશા એટલી ખરાબ હતી કે, લોકો
યાત્રા કરવા તૈયાર જ ન થાય.
તપાસ
બાદ જાણવા મળ્યું હતું કે, ઘણા મહિનાઓથી આ ટ્રેનના ડબ્બાઓનો ઉપયોગ જ કરાયો ન હતો.
ટ્રેનના
બારી-દરવાજા તૂટેલા પડયા હતા. તૂટેલો સામાન, સીટો પર ગંદકી, વીજળી ઠપ, બલ્બ, પંખા પણ
નહોતા.