ટ્રેન
રવાના થવાના 24 કલાક પહેલા તૈયાર થશે વેઈટિંગ લિસ્ટ, બિકાનેરથી શરૂઆત
નવી
દિલ્હી, તા.11 : યાત્રિઓની સુવિધામાં મહત્વના બદલાવની દિશામાં ભારતીય રેલવેએ હવે વેઈટિંગ
લિસ્ટ ટ્રેન રવાના થવાના પહેલા 4 કલાકને બદલે ર4 કલાક પહેલા આપી દેવા નિર્ણય લીધો છે.
રેલ
મંત્રાલયે બુધવારે એલાન કર્યુ કે નવી વ્યવસ્થાનું ટ્રાયલ રાજસ્થાનના બીકાનેરમાં 6 જૂનથી
શરૂ કરાયું છે. આવી વ્યવસ્થા યાત્રીઓને છેલ્લી ઘડીઓમા ંથતી અનિશ્ચિતતા ઓછી કરવા અને યાત્રા અનુભવને વધુ સારો બનાવવાની દિશામાં શરૂ
કરાઈ છે. રેલવે બોર્ડના અધિકારી દિલીપકુમારે જણાવ્યું કે બિકાનેર ડિવીઝનમાં અમે ટ્રેન
રવાના થવાના ર4 કલાક પહેલા ચાર્ટ તૈયાર કરવાનું શરૂ કર્યુ છે. અત્યાર સુધી તે 4 કલાક
પહેલા બનાવાતો હતો. આ પગલાંથી વેઈટિંગમાં રહેલા યાત્રીઓની પોતાની યાત્રાના આયોજનની
અનિશ્ચિતતા ઓછી થશે. જો યાત્રીઓને વહેલા ખબર પડી જાય કે તેમની ટિકીટ કન્ફર્મ થઈ છે
કે નહીં ? તો યાત્રાનું વધુ સારૂં આયોજન કરી શકે છે.
તેમ
છતાં રેલવે અધિકારીઓ અનુસાર આ નવી વ્યવસ્થા નીતિનો ભાગ ત્યારે જ બનશે જયારે યાત્રીઓ
તરફથી સકારાત્મક પ્રતિક્રિયા મળશે. ટિકિટ કન્ફર્મ
થયા બાદ જો યાત્રી તેને રદ કરશે તો રિફન્ડમાં ભારે કાપનો સામનો કરવો પડી શકે છે. ર4
કલાક પહેલા ચાર્ટ તૈયાર થઈ જવાથી અનિશ્ચિતતા ઓછી થવા સાથે છેલ્લા સમયે થતી પરેશાનીમાં
રાહત મળશે. રેલવેને પણ બેઠકોની વહેંચણી અને રિઝર્વેશનની પ્રક્રિયામાં સુધાર કરવામાં
મદદ મળશે.