આરોગ્ય
મંત્રીએ સ્વીકાર્યું કે, સ્થિતિ ગંભીર
અમદાવાદમાં
એક જ દિવસમાં નવા 169, રાજકોટમાં 10, જામનગરમાં 6 અને ભાવનગરમાં 3 કેસ નોંધાયા
અમદાવાદ,
તા.11 : રાજ્યમાં કોરોનાના કેસો તીવ્ર ગતિએ વધી રહ્યા છે, જેનો એકરાર આજે ખુદ આરોગ્ય
મંત્રી ઋષિકેશ પટેલ પણ કર્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 203 કેસ સામે આવ્યાં
છે જેને લઈને હવે કુલ કેસનો આંક વધીને 1430 થયો છે, જેમાં 1281 એક્ટિવ કેસ છે જ્યારે
449 કોરોના દર્દી કોરોના મુક્ત થયા છે. અમદાવાદમાં 169, રાજકોટમાં 10, જામનગરમાં 6
અને ભાવનગરમાં 3 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 169 નવા કેસ સાથે કુલ એક્ટિવ કેસ 1260
થયા છે. જેમાંથી સરકારના ચોપડે જણાવ્યા મુજબ બે મૃત્યુ થયા છે. હાલ 859 કોરોનાના એક્ટિવ
કેસ છે, જ્યારે 399 દર્દી કોરોના મુક્ત થયા છે.
રાજકોટ
: રાજકોટ શહેરમાં આજે કોરોનાના વધુ 10 કેસ સામે આવ્યાં છે. અમીન માર્ગ ઉપર 62 વર્ષીય
વૃદ્ધ, શિવ ટાઉનશીપમાં 58 વર્ષીય પ્રૌઢ, જાનકી પાર્કમાં 68 વર્ષીય વૃદ્ધા અને 34 વર્ષીય
યુવતી, એવરેસ્ટ પાર્કમાં બાવન વર્ષીય મહિલા, ધર્મજીવન સોસાયટીમાં 80 વર્ષીય વૃદ્ધ,
શ્યામનંદ પાર્કમાં 44 વર્ષીય ત્રી, જલારામ પ્લોટમાં 45 વર્ષીય પુરુષ, કોપર સ્ટોન સોસાયટીમાં
43 વર્ષીય ત્રી, ગીતાનગરમાં 55 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ
શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 124 કેસ થયાં છે જેમાંથી 68 દર્દીઓ સાજા થઈ ગયાં
છે અને 56 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જાનકી પાર્કમાં જે કેસો આવ્યાં છે તેઓની ટ્રાવેલ
હિસ્ટ્રી મલેશિયાની છે.
જામનગર
: જામનગર શહેરમાં કોરાનું સંક્રમણ ધીમા પગલે સતત વધી રહ્યું છે. આજે 6 કેસ નોંધાયા
છે. શહેરના રાજપતપૂરા લીમડા લાઈનમાં એક મહિલા, ડેન્ટલ હોસ્ટેલમાં એક પુરુષ, પંચવટી
ગૌશાળા પાસે એક મહિલા, સુમેર કલબ રોડ પાસે એક મહિલા, કૃષ્ણનગર મેઈન રોડ પાસે એક મહિલા
તથા આર્યસમાજ રોડ પાસે એક મહિલા સહિત કુલ 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જામનગરમાં કોરોનાના કુલ
90 કેસ નોંધાવવા પામ્યા છે જેમાં 7 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે અને 51 દર્દીઓને હોમ
આઈસોલેશન કરવામાં આવ્યા છે.
ભાવનગર
: ભાવનગરમાં આજે કોરોનાના 3 કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાં કોરોનાના વાયરસના કેસો
આજરોજ નોંધાયા છે. આજે શહેરના વાઘાવાડી રોડ વિસ્તારમાંથી 65 વર્ષીય વૃદ્ધા, ફૂલવાડી
ચોક વિસ્તારમાંથી 51 વર્ષીય પુરુષ અને વડવા વિસ્તારમાંથી 23 વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
છે જ્યારે આજે 6 દર્દીઓ કોરોનામુક્ત થયાં છે. હવે ભાવનગરમાં 22 દર્દીઓ હોમ આઈસોલેશનમાં
છે.
આ ઉપરાંત
કચ્છમાં આજે કોરોનાના 5 નવા કેસ આવતા કુલ 37 કેસ થયા છે. જેમાંથી કોરોનાના એક્ટિવ કેસ
21 અને 14 કોરોનાના દર્દી ડિસ્ચાર્જ થવા પામ્યા છે.