• શુક્રવાર, 13 જૂન, 2025

મોરારિબાપુનાં ધર્મપત્ની નર્મદાબાનું નિર્વાણ, તલગાજરડામાં સમાધિ આપવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મોરારિબાપુને ફોન પર સાંત્વના પાઠવી

કુંઢેલી, તા. 11: વિશ્વવિખ્યાત રામકથાકાર મોરારિબાપુનાં ધર્મપત્ની નર્મદાબા 79 વર્ષની વયે તા. 10 ને મંગળવારે વટ સાવિત્રીની રાતે નિર્વાણ પામ્યા છે. સાધુ સમાજની પરંપરા મુજબ કૈલાસવાસી નર્મદાબાને આજે સવારે 9 કલાકે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતે સમાધિ આપવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મોરારિબાપુ સાથે ફોન પર ત્રણ મિનિટ વાત કરીને તેમને તથા પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

નર્મદાબાની તબિયત છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત રહેતી હતી. નિર્વાણ પામ્યા તેમના બે દિવસ પહેલાથી તેમણે ખોરાક લેવાનું બંધ કરી દીધું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે સાધુ સમાજમાં મૃત્યુને મંગલ અવસર માનવામાં આવે છે અને મૃત્યુનો શોક મનાવવાને બદલે ધૂન-ભજન-કીર્તન ગાતાં ગાતાં મૃતાત્માને વાજતે ગાજતે વિદાય આપવામાં આવે છે. પૂજ્ય નર્મદાબાને પણ ‘હરે રામા રામા રામ, સીતારામ રામ રામ...’ સંકીર્તન સાથે બાપુના નિવાસસ્થાન ‘કૈલાસ’ના  પાવન પરિસરમાં સમાધિ આપવામાં આવી હતી. 

આજે આખો દિવસ તલગાજરડા ગામ સ્વયંભૂ બંધ રહ્યું હતું.

આ સમાચાર મળતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મોરારિબાપુને સાંત્વના પાઠવી હતી. જ્યારે આવતીકાલ તારીખ 12ના રોજ રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા મોરારિબાપુને રૂબરૂ દિલસોજી પાઠવશે.  આ અવસરે ધાર્મિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ, સાહિત્યકારો અને લોકસાહિત્યના કલાકારો, કથાકારો અને કથાપ્રેમી શ્રોતાઓ તેમજ તલગાજરડાના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. સૌએ મોરારિબાપુને પ્રણામ કરીને પોતાનો સાંત્વનાનો ભાવ પ્રગટ કર્યો હતો અને નર્મદાબાની સમાધિસ્થ ચેતનાનેછેલ્લી વેળાના રામ રામ’ કર્યા હતા. નર્મદા બાના નિર્વાણ પામતા સમગ્ર તલગાજરડા ગામ શોકમય બંધ રહ્યંy હતું.

પ્રિય બાપુ, 

જાણું છું કે તમે સ્વીકાર અને સમજણના સેતુ છો પરંતુ તોય આ ક્ષણ સાંત્વનાની છે.  સ્મરણમાંથી મળતી સાંત્વના તમારી શક્તિ બનો ?? 

અંતર વચાળેનાં ગયાં

કેદી’નાં અંતર ઓગળી 

હું ત્યાંથી કહું છું: આવજો 

હું કશું બોલું નહીં, તમે તોય જાતાં સાંભળી 

હું ત્યાંથી કહું છું: આવજો 

થંભી જઇ ફરતો વળી

આ બેરખો ને શ્વાસ પણ 

રામનામીમાં ધબકતાં અનુભવું

સઘળાં સ્મરણ 

સૂધ ના રહીને ખભેથી

આ સરી ગઇ કામળી 

હું કશું બોલું નહીં,

તમે તોય જાતાં સાંભળી 

હું ત્યાંથી કહું છું: આવજો  

આમ આઘેથી જુવે

તો લાગતાં કે દૂર છે 

આમ ભીતર જાણતાં

તે જાણે એક જ સૂર છે 

માર્ગી કેરા માર્ગમાં

વાગી રહી જ્યાં વાંસળી 

હું કશું બોલું નહીં,

તમે તોય જાતાં સાંભળી 

હું ત્યાંથી કહું છું: આવજો 

હીંચકો, સાવિત્રી વડ ને

અગ્નિહોત્રીનો ધૂણો  

એ જ પોથી, એ જ

આસન એ જ એ મારો ખૂણો 

હોઠ પાસે આવીને

અટકી છે ચાની તાંસળી 

હું કશું બોલું નહીં,

તમે તોય જાતાં સાંભળી 

હું ત્યાંથી કહું છું: આવજો 

છે જગત સિયારામમય

હનુમાનજીનો સાથ છે 

પથ છે માનસ,

મન પથિકને નામનો સંગાથ છે 

દ્રઢ ભરોસો ચરણમાં

ip¡cp R¡ Sᡃu ipdmu 

ly„ Liy„ bp¡gy„ ƒl],

sd¡ sp¡e Åsp„ kp„cmu 

ly„ Ðep„±u Lly„ Ry„: AphÅ¡  

            -syjpf iyLg

ઇ-પેપરના નવા શુલ્ક