અમરેલી, તા.16 : અમરેલીમાં બે
દિવસમાં દુષ્કર્મ આચર્યાના બે બનાવ પોલીસમાં નોંધાયા હતા ત્યારે મહિલાઓની સલામતી સામે
પ્રશ્ન ઉઠી રહ્યો છે ત્યારે અમરેલીમાં રહેતી સગીરાને તેના કૌટુંબિક ભાઈએ છરીથી ઈજા
પહોંચાડી ધમકી આપી દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. પોલીસે
નરાધમ સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, કુંકાવાવ
રોડ પરના વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની પુત્રી બીમાર હોય ઘેર એકલી હતી ત્યારે
રાત્રીના કૌટુંબિક ભાઈ અબ્દુલદીન મહમદ જુણેજા આવ્યો હતો અને સગીર બહેન પર છરીથી હુમલો
કરી ગળાના ભાગે ઈજા પહોંચાડી મારી નાખવાની
ધમકી આપી નદીના પટમાં લઈ જઈ દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગેની પરિવારજનને
જાણ થતા દોડી ગયા હતા અને સગીરાને હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પોલીસે નરાધમ અબ્દુલ દીનમહમદ
જુણેજા વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.