જૂનાગઢ, તા.8: જૂનાગઢનાં ઝાંઝરડા ચોકડી ખાતેનાં અગ્નિકાંડ સ્થળની આજે ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ એફ.એસ.એલ.નાં અધિકારીઓ સાથે તપાસ કરી હતી તેમજ ટોરેન્ટ ગેસ કંપનીના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. જ્યારે જેસીબી ચાલકને ત્રણ દિ’ના રીમાન્ડ ઉપર સોંપ્યો છે. ગઈકાલે ઝાંઝરડા ચોકડી ખાતે મનપાના જેસીબીએ ખોદકામ દરમ્યાન ગેસ લાઈન તોડી નાખતા આગ ભભૂભી હતી. તેમાં માતા-પુત્રી સહિત ત્રણ ભડથું થઈ ગયા હતા અને ત્રણ દાઝી ગયા હતા. દુકાનો, વાહનો તથા વીજપોલને નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનાથી વિસ્તારમાં રોષ ભભૂક્યો હતો.
આ બનાવ સ્થળની આજે પોલીસ અધિક્ષકએ
ફોરેન્સિક વિભાગનાં અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી અને સ્થિતિ નિહાળી હતી. આ ઘટનાની
પ્રાંત અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે જેસીબી ચાલક રાજેશ જયમંગલરાજ
યાદવ ઉ.ર3ની ધરપકડ કરી રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા અદાલતે ત્રણ દિ’ના
પોલીસ રીમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો છે.