• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

સરકાર પોતે ગોટાળામાં ફસાયેલી છે ઃ મુરલી મનોહર

પેપરલીક, શિક્ષા નીતિ સહિતનાં મુદ્દે સરકારની પ્રાથમિકતાઓ સામે ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી, તા.29 ભાજપનાં સંસ્થાપકો પૈકી એક નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા માર્ગદર્શક મંડળનાં સદસ્ય મુરલી મનોહર જોશીએ કેન્દ્રની મોદી સરકારની શિક્ષા નીતિ, બજેટ અને પ્રશાસનિક પ્રાથમિકતાઓ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે પેપર લીક, શિક્ષણનું વેપારીકરણ અને બજેટમાં કાપનાં દૃષ્ટિકોણ મુદ્દે સરકારને કઠેડામાં મૂકી છે.

જોશીએ પેપર લીકની ઘટનાઓને કેવળ શિક્ષણ વ્યવસ્થાની નિષ્ફળતાને બદલે સમાન અને શાસનમાં વધતા ભ્રષ્ટાચાર સાથે જોડી હતી. તેમણે કહ્યું હતું કે, જ્યારે છાત્રો જુએ છે કે, શિક્ષકોની નિયુક્તિ લાંચ આપીની થાય છે અને ચોમેર પૈસાની બોલબાલા છે ત્યારે તે પણ ખોટો રસ્તો પકડવામાં સંકોચ રાખતા નથી. આજે બેન્કો, કારોબારમાં ગોટાળા થઈ રહ્યાં છે. સરકાર પોતે ગોટાળાઓમાં ફસાયેલી છે ત્યારે તેની અસર છાત્રો અને શિક્ષણ ઉપર થવી સ્વાભાવિક છે.

ઇ-પેપરના નવા શુલ્ક