ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધની પરિસ્થિતિને ધ્યાને રાખી BCCIનો નિર્ણય
મુંબઇ
તા.9: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધની સ્થિતિને ધ્યાને રાખીને આઇપીએલ-202પ સીઝન તાત્કાલિક
અસરથી એક સપ્તાહ માટે સ્થગિત કરવામાં આવી છે. આ જાણકારી આજે બીસીસીઆઇના સેક્રેટરી દેવજીત
સેકિયાએ આપી હતી. તેમણે જણાવ્યું કે હાલની યુધ્ધની સ્થિતિને ધ્યાને રાખીને આઇપીએલને
એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા શેડયૂલ અને વેન્યૂ અંગેનો
નિર્ણય હિતધારકો સાથેની બેઠક બાદ લેવામાં આવશે. હાલ તમામ વિદેશી ખેલાડીઓને તેમના દેશ
મોકલી દેવાની દરેક ફ્રેંચાઈઝીને સૂચના અપાઇ છે.
ગઇકાલે
ગુરૂવારે રાત્રે ધર્મશાલામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેનો મેચ 10 ઓવર
બાદ સલામતી ખાતર પડતો મુકવામાં આવ્યો હતો. આ મેચમાં સામેલ તમામ ખેલાડીઓ અને અધિકારીઓ,
કોચિંગ સ્ટાફ એક વિશેષ ટ્રેનમાં આજે સવારે દિલ્હી આવી પહોંચ્યા હતા.
આઇપીએલ
સીઝનમાં કુલ 74 મુકાબલા રમાય છે. એ મેચ પ8મો હતો. એટલે હજુ 16 મેચ બાકી છે. જેમાં
12 લીગ મેચ અને 4 પ્લેઓફ મેચ છે. જો દિલ્હી અને પંજાબનો મેચ ફરી રમાશે તો હવે 17 મેચ
બાકી
રહેશે.
બીસીસીઆઇ
માટે આઇપીએલનો નવો શેડયૂલ તૈયાર કરવો ઘણો કઠિન બની રહેશે. કારણ કે જૂનના પ્રારંભથી
દરેક ટીમ દ્વિપક્ષી શ્રેણીઓમાં વ્યસ્ત છે. ભારતીય ટીમ પણ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે પ
મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે.