15 દિવસ સુધી દેશભરમાં બૂલડોઝર કાર્યવાહી રોકતી સુપ્રીમ : 1 ઓકટોબરે સુનાવણી
નવી
દિલ્હી, તા.17 : સુપ્રીમ કોર્ટે દેશભરમાં 1પ ઓક્ટોબર સુધી બુલડોઝર એક્શન પર રોક લગાવી
છે. કોર્ટે તાકીદ કરી કે આગામી સુનાવણી સુધી દેશમાં ક્યાંય પણ બુલડોઝર કાર્યવાહી થવી
જોઈએ નહીં. (જાહેર દબાણો પર કાર્યવાહી ચાલુ રહેશે) કેન્દ્ર સરકારે દલીલ કરી કે અમારા
હાથ બાંધવામાં ન આવે, તો કોર્ટે કહ્યું કે 1પ દિવસમાં આકાશ ફાટી નહીં જાય.
સુપ્રીમે
બૂલડોઝર એક્શન પર લગાવેલી રોકમાં જાહેર રસ્તાઓ, રેલવે લાઇન જેવી જગ્યાઓએ કરવામાં આવેલા દબાણો સામેલ નથી. આગામી સુનાવણી 1 ઓક્ટોબરે
નિર્ધારિત કરાઈ છે. સુપ્રીમ કોર્ટના બૂલડોઝર એક્શન પર રોકના આદેશ પર સોલિસિટર જનરલ
તુષાર મેહતાએ કહ્યંy કે, સાર્વજનિક સંસ્થાઓના હાથ આ રીતે બાંધી ન શકાય. જેના પર જસ્ટિસ બી. આર. ગવઈ અને કેવી
વિશ્વનાથનની ખંડપીઠે ટકોર કરી કે જો બે સપ્તાહ સુધી કાર્યવાહીરોકી દેવામાં આવે તો તેનાથી
આકાશ ફાટી નહીં જાય. તમે તેને રોકી દો, 1પ દિવસમાં શું થશે ? સુપ્રીમ કોર્ટે આદેશમાં
રાજ્યોને નિર્દેશ આપ્યો કે બૂલડોઝર ન્યાયના ગુણગાન બંધ થવા જોઈએ. કાયદાકીય પ્રક્રિયા
હેઠળ જ દબાણો હટાવવામાં આવે.
ઉલ્લેખનીય
છે, કેયુપી સહિત અનેક રાજ્યમાં બૂલડોઝરથી ડિમોલિશનની કામગીરી સામે જમીયત ઉલેમાએ હિંદની અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે ઉપરોક્ત
નિર્દેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન સરકાર તરફથી બચાવ કરવામાં આવ્યો કે કોઈ સમુદાય
વિશેષને ટાર્ગેટ કરાતો હોવાનો આરોપ ખોટો છે. ખોટો નેરેટિવ ફેલાવાઈ રહ્યો છે. કાયદાકીય
પ્રક્રિયાનું પાલન કરીને જ દબાણો હટાવવામાં આવે છે. જેના પર જસ્ટિસ ગવઈએ કહ્યંy કે
આવા નેરેટિવથી અમે પ્રભાવિત થઈ રહ્યા નથી. અમે એ સ્પષ્ટ કરી ચૂક્યા છીએ કે ગેરકાયદે
બાંધકામને સંરક્ષણ આપવાના પક્ષમાં નથી. જરૂર છે કે ડિમોલિશનની પ્રક્રિયા સ્ટ્રીમલાઇન
થાય.