• ગુરુવાર, 02 મે, 2024

avsan nondh

ચક્ષુદાન

ધોરાજી : જેતપુરના મણીભાઈ જોગીનું અવસાન થતા માનવ સેવક યુવા મંડળ ધોરાજી અને સરકારી હોસ્પિટલને 251મું ચક્ષુદાન મળ્યું છે. ધોરાજીના માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરિયા, સાગર સોલંકીને મોડી રાત્રે જેતપુરના મહેશભાઈ છાંટબાર દ્વારા ટેલિફોન દ્વારા ચક્ષુદાન કરવા અંગે જાણ કરાતા ધોરાજી સરકારી હોસ્પિટલના ચક્ષુદાન સેન્ટરના અધિક્ષક ડો.જયેશ વેસેટીયન, તેમની ટીમે ચક્ષુદાન સ્વીકાર્યું હતું.

ચક્ષુદાન

રાજકોટ: તરલીકાબેન નરેન્દ્રકુમાર કોઠારીનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 501મું ચક્ષુદાન થયેલ છે.

રાજકોટ: જામખંભાળિયા નિવાસી હાલ રાજકોટ રાજેશભાઈ વ્યાસની પુત્રી દુર્વા (ઉં.6) તે રતિલાલ ગોવિંદજી વ્યાસની પૌત્રી, તે કલ્પેશભાઈ (મોરબી)ની ભત્રીજીનું તા.16ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.19ના સાંજે 4થી 6, વિનાયક ફ્લેટ વિંગ સી-202, રાજલક્ષ્મી સોસાયટી, મોર્ડન સ્કૂલની પાછળ, મોરબી રોડ,

રાજકોટ છે.

રાજકોટ: ઈન્દિરાબેન મનુકુમાર ઉપાધ્યાય (ઉં.84)(રિટાયર્ડ આચાર્ય શાળા નં.6) તે મનુકુમાર વી.ઉપાધ્યાય (નિવૃત્ત આરએમસી)ના પત્ની, તે જીતુભાઈ (નિવૃત્ત આરએમસી), સુધાબેન ઉપાધ્યાય (નિવૃત્ત શિક્ષક)ના ભાભી, તે મીતાબેન સંજયભાઈ વ્યાસ, ધૃતીબેન એમ.ઉપાધ્યાયના માતૃશ્રી, તે સંજયભાઈ એચ.વ્યાસ (જૂનાગઢ)ના સાસુનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.18ના સાંજે 4થી 6, જાગનાથ મહાદેવ મંદિર, યાજ્ઞિક રોડ, રાજકોટ છે.

જૂનાગઢ: ગિરીશભાઈ વ્રજલાલ મહેતા (ઉં.52) તે દિપાલીબેનના પતિ, તે નિલેશભાઈ, પલ્લવીબેન અને રાજેશભાઈના વડીલબંધુ, તે હર્ષ અને યશના પિતાનું તા.16ના અવસાન થયું છે. ઉઠમણું તા.18ના સવારે 10-30 કલાકે કોઠારી ઉપાશ્રય, ઉમિયા સોસાયટી, બસ સ્ટેશન પાછળ, જૂનાગઢ છે.

બગસરા: ઔદીચ્ય ગઢિયા બ્રાહ્મણ પંડિત કનૈયાલાલ દુર્ગાશંકર (વરસડાવાળા) (ઉં.86) તે જનાર્દનભાઈ (મેઘાણી હાઈસ્કૂલ), વિપુલભાઈ, પ્રપન્નાબેન જયપ્રકાશ મહેતા (ઉપલેટા), નારાયણિબેન અજીતકુમાર વ્યાસ (વેરાવળ)ના પિતાશ્રી, તે રાજેશ્વરીબેનના સસરાનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.18ના 4થી 6, બ્રહ્મ સમાજની વાડી, બગસરા

ખાતે છે.

રાજકોટ: દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન ભરતભાઈ રતિલાલ પારેખ (હાલ બેંગ્લોર)ના પત્ની, તે ચેન્નઈ નિવાસી લીલાવતી ભાણજી ભગવાનદાસ પારેખના પુત્રી, તે કિશોર, પ્રવીણના ભાભી, તે જયેશ, નીતા, મીતા, હરેશ દફ્તરી, સીમા-જયકાંત પારેખના માતુશ્રી નીલાબેન (ઉ.94)નું તા.15ના અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ છે.

રાજકોટ: મીનાક્ષીબેન કાંતિલાલ જોટંગીયા (ઉ.70) તે કાંતિલાલ બી.જોટંગીયા (નિવૃત્ત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)ના પત્ની, તે જીજ્ઞેશ, નિમેષ, શીતલબેનના માતુશ્રી, તે આર્યનના દાદીમા, તે અમરેલીવાળા સ્વ.જગદીશભાઈ તથા જીતુભાઈ (રોયલ)ના મોટા બહેનનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.18ના સાંજે 4-30 થી 6, રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં, રામેશ્વર ચોક, સુભાષનગર શેરી નં.3, આમ્રપાલી પાછળ, રૈયા રોડ, રાજકોટ છે.

વાંકાનેર: નરેશભાઈ બાબુલાલ સિદ્ધપુરા (ઉ.60) તે જયદીપભાઈના પિતાશ્રી, તે સ્વ.પ્રફુલભાઈના મોટાભાઈ, તે સ્વ.ચંદ્રકાંતભાઈ, સ્વ.દિલીપભાઈ, વિજયભાઈ રવજીભાઈ પીઠવાના બનેવીનું તા.14ના અવસાન થયું છે. બંન્ને પક્ષનું બેસણું તા.18ના સાંજે 4 થી 6, આસ્થા ગ્રીન સોસાયટી, ઝાંઝર સિનેમા પાસે, નેશનલ હાઈવે,

વાંકાનેર છે.

સાવરકુંડલા: ફજલેહુસેન ફકરૂદીનભાઈ હિરાણી (કાપડવાલા) ગાધકડાવાલા તે જેહરાબેનના પુત્ર, તે કનીજાબેનના શોહર, અલીઅસગરભાઈ, તેહસીનબેન (ભાવનગર)ના પિતા, તે સિરાજભાઈ, ખોજેમાભાઈ, ફાતેમાબેન (મહુવા), દુરૈયાબેન (લખનૌ), મુનીરાબેન (બરવાળા), જુમાનાબેન (મુંબઈ)ના ભાઈ તા.16ના વફાત થયેલ છે. જિયારતના સીપારા તા.18ના 11 વાગે ઈઝઝી મસ્જીદમાં સાવરકુંડલા છે.

વડોદરા: કાર્તિક (કલ્પેશ)ભાઈ તે સ્વ.નિરંજનભાઈ માંકડ (જૂનાગઢ)ના પુત્ર, તે વંદનાબેનના પતિ, તે વિરાજબેન કચ્છી, સત્યેનભાઈના ભાઈ, તે પાયલ અને જૈવિકના પિતાશ્રી, તે રચિત મહેતાના સસરા, તે રાજકોટ નિવાસી શારદાબેન અજીતરાય જોષીપુરાના જમાઈનું તા.12ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.18ના સાંજે 5 થી 6, લાયન્સ હોલ, નવી કોર્ટ બિલ્ડીંગ પાસે, ગદાપુરા રોડ, વડોદરા છે.

સાવરકુંડલા: લક્ષ્મીશંકર નાગરદાસ પંડયા તે જીતેન્દ્રભાઈ, સતિષભાઈ, મહેન્દ્રભાઈના પિતાનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.19ના સવારે 8 થી સાંજના 6 કલાકે અંબાકૃપા, વિદ્યુતનગર, કાણકિયા કોલેજ પાછળ, સાવરકુંડલા છે.

રાજકોટ: જયાબા નટુભા ખીમાણી (જાડેજા) શિવરાજગઢ નિવાસી હાલ રાજકોટ એસટી કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ, રાજકોટ વિભાગના પ્રમુખ, શિવરાજગઢના પુર્વ બીનહરીફ સરપંચ, ભાડવા સ્ટડી સર્કલ, રાજકોટ મંત્રી નટુભા ખીમાણીના પત્નીનું અવસાન થયેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ઉત્તરક્રિયા તા.20ના રાજકોટ તેમના નિવાસ

સ્થાને છે.

ઇ-પેપરના નવા શુલ્ક