કોલંબો,
તા.રપ : ભારત વિરુદ્ધ ટી-ર0 શ્રેણી પહેલા મેજબાન શ્રીલંકાને ઉપરાઉપરી બે ઝટકા લાગ્યા
છે. દુષ્મંથા ચમીરા અને નુવાન તુષારા ઈજાને કારણે ટીમમાંથી બહાર થયા છે.
ર7 જુલાઈએ
ભારત અને શ્રીલંકા વચ્ચે 3 ટી-ર0નો પહેલો મુકાબલો થવાનો છે. શ્રીલંકાનો સ્ટાર પેસર
નુવાન તુષારા ઈજાને કારણે સમગ્ર શ્રેણીમાંથી બહાર થયો છે. પ્રેક્ટિસ દરમિયાન તેને આંગળીમાં
ઈજા થઈ હતી. તબીબી તપાસમાં તેને ફ્રેક્ચર હોવાનું નિદાન થયું હતું. તેનાં સ્થાને દિલશાન
મધુશંકાનો સમાવેશ કરાય તેવી સંભાવના છે. આ પહેલા દુષ્મંથા ચમીરા પણ ઈજાને કારણે ટીમમાંથી
બહાર થયો હતો. ર4 કલાકના ટૂંકા ગાળામાં શ્રીલંકાના બે ખેલાડીએ ઈજાને કારણે ટીમ છોડવી
પડી છે. છેલ્લા કેટલાક સમયથી તુષારાનું પ્રદર્શન સારું રહ્યું છે. 11 ટી-ર0માં તે
19 વિકેટ ઝડપી ચૂક્યો છે.