ખરીફ
પાકનાં ટેકાનાં ભાવમાં વધારો: 14 પાકનાં ટેકાનાં ભાવ વધારવા 207000 કરોડ રૂપિયા મંજૂર
કપાસ
અને મગફળીમાં નોંધપાત્ર વધારાથી સૌરાષ્ટ્રનાં ખેડૂતોને મોટી રાહત : કેન્દ્રીય કેબિનેટનાં
પાંચ મોટા નિર્ણય
નવીદિલ્હી,તા.28:
કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં આજે પાંચ મહત્વનાં ફેંસલાઓ કરવામાં આવ્યા હતાં. જેમાં
સૌથી મોટો નિર્ણય ખરીફ પાક માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય(એમએસપી)માં પ્રોત્સાહક વધારો
કરવાનો છે. સૌરાષ્ટ્રનાં ખેડૂતો માટે કપાસ અને મગફળીનાં ટેકાનાં ભાવમાં નોંધપાત્ર વધારો
ઉત્સાહ અને ઉત્પાદન પ્રેરક બની રહેવાનો છે. જેનાં હિસાબે વાવેતરમાં આછો-પાતળો ઘટાડો
થવાની જે આશંકા હતી તે હાલનાં તબક્કે ઓસરી જાય તેવી આશા છે.
ધાનનાં
ટેકાનાં ભાવમાં 69 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. તેથી હવે કિસાનોને ધાનનાં
ઉત્પાદનમાં પ્રતિ ક્વિટન્ટલ 2369 ટેકાનો ભાવ મળશે. આ ઉપરાંત દાળનાં ટેકાનાં ભાવમાં
પણ મોટો વધારો કરવામાં આવ્યો છે. હવે તુવેર દાળનાં ટેકાનાં ભાવમાં 450 રૂપિયાનો ઈજાફો
કરાયો છે. તેથી પ્રતિ ક્વિન્ટલ ભાવ 8000 રૂપિયા મળશે. જ્યારે કપાસનાં ટેકાનાં ભાવમાં
589 રૂપિયાનો અને મગફળીમાં 480 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારો કરાયો છે.
મંત્રીમંડળનાં
નિર્ણયોની જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, કિસાન
કલ્યાણને પ્રાથમિકતા આપતા ખરીફ પાકોનાં ટેકાનાં ભાવ હેઠળ 207000 કરોડ રૂપિયા મંજૂર
કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કિસાનોને સસ્તા દરે કરજ ઉપલબ્ધ કરાવવા માટે વ્યાજ સહાયતા
યોજનાને પણ સ્વીકૃતિ આપવામાં આવી છે. તદુપરાંત ત્રણ મુખ્ય પ્રોજેક્ટને પણ લીલીઝંડી
અપાઈ છે. જેમાં આંધ્રપ્રદેશમાં ફોર-લેન બદવેલ-નેલ્લોર હાઈવે, મહારાષ્ટ્રમાં 135 કિ.મી.
લાંબી વર્ધા-બલ્લારશાહ રેલવે લાઈન અને મધ્યપ્રદેશમાં 41 કિ.મી. લાંબી રતલામ-નાગદા રેલવે
લાઈન પહોળી કરવાની યોજનાનો સમાવેશ થાય છે.
અશ્વિની
વૈષ્ણવે જણાવ્યું હતું કે, ખરીફ પાકોનાં ટેકાનાં ભાવ કૃષિ પડતર અને મૂલ્ય આયોગ(સીએસીપી)ની
ભલામણો ઉપર આધારિત છે. જેમાં ઉત્પાદન પડતર ઉપર કમસેકમ 50 લાભ સુનિશ્ચિત કરવામાં આવ્યો
છે. આ ઉપરાંત દેશ-દુનિયાનાં ભાવ, પાક વચ્ચે સંતુલન, કૃષિ અને બિનકૃષિ ક્ષેત્ર વચ્ચે
વ્યાપાર સંતુલન જેવા અનેક પરિબળોનો વિચાર કરવામાં આવ્યો છે.
વર્ષ
202પ-26 માટે 14 ખરીફ પાકનાં એમએસપીમાં વધારાને આજે કેબિનેટે મંજૂરી આપી છે. ગત વર્ષની
તુલનામાં ટેકાનાં ભાવમાં સૌથી મોટો વધારો નાઈઝરસીડમાં પ્રતિ ક્વિન્ટલ 820 રૂપિયાનો
વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ રાગીમાં 596, કપાસમાં 589, તલમાં 579 રૂપિયા, મગફળીમાં
480 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારો કરાયો છે.
આ સીવાય
કિસાનોને કાર્યશીલ મૂડીની સુગમતા સુનિશ્ચિત કરવા માટે વ્યાજ સહાય યોજનાને પણ મંજૂરી
આપવામાં આવી છે. આ યોજના પાછળ 15642 કરોડ રૂપિયા ખર્ચ થશે અને આ યોજના અંતર્ગત કિસાન
ક્રેડિટ કાર્ડ મારફત ખેડૂતોને લોન આપવામાં આવશે. આમાં ખેડૂતોને ખેતી, બાગાયતી પાક માટે
3 લાખ રૂપિયા સુધી અને સહાયક કૃષિ ગતિવિધિ (જેમ કે પશુપાલન) માટે 2 લાખ રૂપિયા સુધીની
લોન 7 ટકાનાં રાહત વ્યાજદરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ યોજનામાં સરકાર 1.5 ટકા વ્યાજની
મદદ કરે છે અને જો ખેડૂત સમયસર લોન ભરપાઈ કરે તો તેને 3 ટકા વધારાની છૂટ પણ આપવામાં
આવે છે. આમ, કુલ મળીને કિસાન ઉપર 4 ટકા વ્યાજનો બોજ આવે છે.
117
વર્ષ જૂનો કાયદો બદલાશે: સંપત્તિના ઓનલાઈન રજિસ્ટ્રેશનની તૈયારી
નવી
દિલ્હી, તા.ર8 : કેન્દ્ર સરકારે સંપત્તિના ઓનલાઈન રજિસ્ટ્રેશનને ફરજિયાત બનાવવા અને
દસ્તાવેજોના ડિજીટલ સંરક્ષણને સુનિશ્રિત કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ વિધેયકનો મુસદ્દો
તૈયાર કર્યો છે. પ્રસ્તાવિત કાયદો 117 વર્ષ જૂના રજિસ્ટ્રેશન અધિનિયમનું સ્થાન લેશે.
ગ્રામીણ વિકાસ મંત્રાલયને અંતર્ગત જમીન સંશાધન વિભાગે આ મુસદાને જનતાના અભિપ્રાય માટે
જાહેરકર્યો છે. વર્તમાન રજિસ્ટ્રેશન અધિનિયમ દેશભરમાં લાગૂ છે પરંતુ રાજય સરકારોને
તેમાં સંશોધનનો અધિકાર છે. જો કે તે માટે કેન્દ્ર સાથે પરામર્શ કરવો જરૂરી છે. અનેક
રાજયોએ પહેલેથી જ કાયદામાં સંશોધન કરીને ઓનલાઈન રજિસ્ટ્રેશનની મંજૂરી આપી છે. જેને
ધ્યાને લઈ કેન્દ્રએ હવે એક વ્યાપક કાયદો લાવવાનો ર્ન્ણિય લીધો છે. જે દેશમાં સમાન રીતે
લાગુ થશે.