• શનિવાર, 31 મે, 2025

ભારતે જે પાક. સાથે કર્યુ, ચીને તે ભારત સાથે કર્યુ !

બ્રહ્મપુત્રા અને સતલુજ નદીનો ડેટા આપવાનું બંધ : છઝઈંમાં ખુલાસો

નવી દિલ્હી, તા.ર8 : પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે 6 દાયકા જૂની સિંધૂ જળ સંધિ સ્થગિત  કરી નાંખી. ભારત હવે નદીઓને લગતો કોઈ ડેટા પાકિસ્તાનને આપતું નથી. વાત આટલેથી નથી અટકતી, ભારતે પાકિસ્તાન સાથે કર્યુ તેવું તો ચીન ઘણાં સમયથી ભારત સાથે કરી રહયાનો ચોંકાવનારો ખુલાસો એક આરટીઆઈથી થયો છે.

ખુલાસા મુજબ ચીને વર્ષ ર0રર પછીથી નદીઓને લગતો કોઈ ડેટા ભારત સાથે શેર કર્યો નથી. તે માટે કરાર થયેલો હતો છતાં ચીને પાલન કર્યુ નથી. જળ શક્તિ મંત્રાલયે એક આરટીઆઈના જવાબમાં કહ્યંy કે વર્ષ ર0રર બાદથી ચીને હાઈડ્રોલોજિકલ ડેટા આપ્યો નથી. બ્રહ્મપુત્રા અને સતલુજ નદી અંગે થયેલા એમઓયુ અનુક્રમે વર્ષ ર0ર3 અને ર0ર0માં સમાપ્ત થઈ ચૂક્યા છે.

ચીની હાઈડ્રોલોજીકલ ડેટા ભારતની જળ સુરક્ષા અને માળખાગત વિકાસ માટે ઘણો મહત્ત્વનો છે. ખાસ કરીને બ્રહ્મપુત્ર અને સતલુજ જેવી ટ્રાન્સ બાઉન્ડ્રી નદીઓ જે ચીનથી વહીને આવે છે. તે ડેટા ભારતમાં પૂરના પુર્વાનુમાન, અર્લી વોર્નિંગ સિસ્ટમ, બાંધો અને પુલોના નિર્માણનું આયોજન અને વ્યવસ્થા માટે મહત્ત્વપૂર્ણ છે. બન્ને દેશે હાઈડ્રોલોજીકલ ડેટા શેર કરવા અંગે કરેલો કરાર રિન્યૂ શા માટે ન કરાયો ? તે અંગે કારણ પૂછતાં જળશકિત મંત્રાલયે તે અંગેની માહિતી આપવા ઈનકાર કર્યો અને કહયુ કે આ અંગે આરટીઆઈ કાયદા હેઠળ માહિતી આપી શકાય નહીં.

 

ઇ-પેપરના નવા શુલ્ક