વિદેશી
દાન-નાણાં મેળવતાં એનજીઓ માટે સમાચાર પ્રકાશિત કરવા પર રોક : કેન્દ્રનો આદેશ, નિયમમાં
ફેરફાર
નવી
દિલ્હી, તા.ર8 : કેન્દ્ર સરકારે વિદેશથી દાન-નાણાં મેળવતાં એનજીઓ માટે મહત્ત્વનો આદેશ
કર્યો છે કે તે સમાચાર સામગ્રી પ્રકાશિત કરી શકશે નહીં. પ્રકાશન સાથે સંબંધિત ગતિવિધિઓ
કરતાં અને વિદેશી દાન મેળવતાં બિન સરકારી સંગઠન (એનજીઓ) કોઈ અખબાર પ્રકાશિત કરી શકશે
નહીં. તેમણે ભારતના સમાચાર પત્ર નોંધણી સંસ્થાન પાસેથી એવું પ્રમાણ પત્ર મેળવવું પડશે
કે તેઓ કોઈ સમાચાર સામગ્રી પ્રકાશિત કરતાં નથી.
કેન્દ્ર
સરકારે કહયું કે વિદેશી અંશદાન વિનિયમન અધિનિયમ (એફસીઆરએ) હેઠળ નોંધણી ઈચ્છુક એનજીઓએ
નવા નિયમનું પાલન કરવાનું રહેશે. ગૃહમંત્રાલયે જાહેર કરેલા નોટિફિકેશનમાં કહ્યું છે
કે તેણે એફસીઆરએ હેઠળ બનાવેલા નિયમોમાં સંશોધન કર્યુ છે. હવે વિદેશથી દાન કે નાણાં
મેળવવાની મંજૂરી માગતા એનજીઓએ એવું સોગંદનામું રજૂ કરવું પડશે કે તેઓ ફાયનાન્સિયલ એક્શન
ટાસ્ક ફોર્સના સારા આચરણ સંબંધિત દિશાનિર્દેશોનું પાલન કરશે.
નોંધણી
કરાવનારા એકમો અથવા બિન સરકારી સંગઠનોએ છેલ્લા 3 નાણાંકીય વર્ષના હિસાબ અને ઓડિટ રિપોર્ટ
રજૂ કરવાનો રહેશે અથવા સીએનું પ્રમાણપત્ર જમા કરાવવાનું રહેશે. જો એસોસિયેશન કે એનજીઓ
પ્રકાશન સાથે સંબંધિત ગતિવિધિઓમાં સામેલ છે અને પ્રકાશનની ગતિવિધિઓના ઉદેશમાં સામેલ
છે તો મુખ્ય પદાધિકારીએ એફસીઆરએ-ર010ના અનુપાલન સંબંધમાં એક શપથપત્ર રજૂ કરવાનું રહેશે.
ગૃહ મંત્રાલય અનુસાર જો એસોસિયેશનનું પ્રકાશન ભારતના સમાચાર પત્રોના નોંધણીકારપાસે
નોંધાયેલ છે તો તેણે ભારતના સમાચાર પત્ર નોંધણીકાર પાસેથી સમાચાર પત્ર ન હોવા અંગેનું
પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. જો એનજીઓ પહેલેથી એફસીઆરએમાં રજિસ્ટર્ડ હોય તો તેણે
નોંધણી પ્રમાણપત્રની સમાપ્તિ અથવા રદ થયાબાદની વિદેશી અંશદાનની પ્રાપ્તિ અને ઉપયોગના
સંબંધમાં સોગંદનામું રજૂ કરવાનું રહેશે.