• રવિવાર, 18 જાન્યુઆરી, 2026

ભાવનગરમાં નજીવી બાબતે યુવાનની હત્યા કરનાર પાંચ આરોપી ઝડપાયા

ભાવનગર, તા.17: ભાવનગરના કુંભારવાડા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ગુરુવારે રાત્રે સાહિલભાઇ સૈયદ (ઉં.વ.23)ની એક્ટિવા ન આપવા જેવી નજીવી બાબતે હત્યા કરવામાં આવી હતી. આ મામલે બોરતળાવ પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડયા છે. ઝડપાયેલા આરોપીઓમાં નદીમભાઇ મનસુરભાઇ સોરઠિયા, સલીમભાઇ કાસમભાઇ સોરઠીયા, સાહીલભાઇ રસુલભાઇ શાહ, શાહનવાજ સલીમભાઇ સોરઠિયા અને સીદ્દીકભાઇ સલીમભાઇ સોરઠિયાનો સમાવેશ થાય છે. પોલીસે આ શખસોની પૂછપરછ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક