• બુધવાર, 21 મે, 2025

કૈલાશ માનસરોવર યાત્રા 30 જૂનથી 5 વર્ષના વિરામ બાદ પિથૌરાગઢથી શરૂઆત

નવી દિલ્હી તા.રર : કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થવાની છેલ્લા પાંચ વર્ષથી જોવાઈ રહેલી રાહ હવે પૂર્ણ થવામાં છે. કોવિડ 19ને કારણે વર્ષ ર0ર0થી આ યાત્રા બંધ છે પરંતુ ભારત અને ચીન વચ્ચે સંબંધો સુધર્યા બાદ હવે આ વર્ષે ભારતમાં 30 જૂનથી તેનો આરંભ થવા જઈ રહયો છે. શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો 10 જૂલાઈએ લિપુલેખથી થઈ ચીનમાં પ્રવેશ કરશે.

કુમાઉ મંડળ વિકાસ નિગમ તરફથી સંચાલિત આ યાત્રા ઉત્તરાખંડના પિથૌરાગઢના લિપુલેખ રસ્તાથી શરૂ કરવામાં આવનાર છે. યાત્રામાં પ0-પ0 વ્યક્તિઓના કુલ પાંચ દળને સામેલ કરવામાં આવશે. સોમવારે ચીનના અધિકારીઓ સહિતની દિલ્હીમાં યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ યાત્રા અંગે નિર્ણય લેવાયો હતો. ચીનના અધિકારીઓ તરફથી યાત્રા જૂનને બદલે જુલાઈમાં શરૂ કરવા સહમતિ દર્શાવવામાં આવી હતી. આ વખતે યાત્રામાં રોકાણની વિશેષ વ્યવસથા કરવામાં આવનાર છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલની કોલીથડ ચોકડી પાસે ટ્રેકટર પાછળ બાઈક ઘૂસી જતાં યુવકનું મૃત્યુ May 21, Wed, 2025