નવી દિલ્હી તા.રર : કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થવાની છેલ્લા પાંચ વર્ષથી જોવાઈ રહેલી રાહ હવે પૂર્ણ થવામાં છે. કોવિડ 19ને કારણે વર્ષ ર0ર0થી આ યાત્રા બંધ છે પરંતુ ભારત અને ચીન વચ્ચે સંબંધો સુધર્યા બાદ હવે આ વર્ષે ભારતમાં 30 જૂનથી તેનો આરંભ થવા જઈ રહયો છે. શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો 10 જૂલાઈએ લિપુલેખથી થઈ ચીનમાં પ્રવેશ કરશે.
કુમાઉ મંડળ વિકાસ નિગમ તરફથી
સંચાલિત આ યાત્રા ઉત્તરાખંડના પિથૌરાગઢના લિપુલેખ રસ્તાથી શરૂ કરવામાં આવનાર છે. યાત્રામાં
પ0-પ0 વ્યક્તિઓના કુલ પાંચ દળને સામેલ કરવામાં આવશે. સોમવારે ચીનના અધિકારીઓ સહિતની
દિલ્હીમાં યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ યાત્રા અંગે નિર્ણય લેવાયો હતો. ચીનના
અધિકારીઓ તરફથી યાત્રા જૂનને બદલે જુલાઈમાં શરૂ કરવા સહમતિ દર્શાવવામાં આવી હતી. આ
વખતે યાત્રામાં રોકાણની વિશેષ વ્યવસથા કરવામાં આવનાર છે.