• સોમવાર, 16 જૂન, 2025

ઈરાનના 9 પરમાણુ વૈજ્ઞાનિક ઠાર : ઈઝરાયલનો દાવો

IDFએ કહ્યું, ઈરાનની સામુહિક વિનાશના હથિયાર બનાવવાની ક્ષમતાને ફટકો

તેલ અવીવ, તા. 14 : ઈઝરાયલે ઈરાનની ન્યુક્લિયર ફેસિલિટી ઉપર હુમલાને લઈને મોટો દાવો કર્યો છે. ઈઝરાયલી સેનાએ કહ્યું છે કે હવાઈ હુમલામાં નવ પ્રમુખ ઈરાની પરમાણુ વૈજ્ઞાનિક માર્યા ગયા છે. સેનાએ નિવેદનમાં કહ્યું છે કે ઓપરેશન રાઈઝિંગ લાયનની શરૂઆતમાં ઈઝરાયલી વાયુસેનાના હુમલ દરમિયાન નવ વૈજ્ઞાનિક અને વિશેષજ્ઞો ઠાર કરવામાં આવ્યા છે. જે ઈરાની શાસનના પરમાણુ હથિયાર કાર્યક્રમને આગળ વધારી રહ્યા હતા. આ નિવેદનમાં માર્યા ગયેલા લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ઈઝરાયલી સેનાના કહેવા પ્રમાણે પરમાણુ વૈજ્ઞાનિકનો ખાત્મો ઈરાની શાસનની સામુહિક વિનાશના હથિયાર મેળવવાની ક્ષમતા માટે મોટો ઝટકો છે.

સેનાએ કહ્યું હતું કે હુમલા ગુપ્તચર એજન્સી દ્વારા એકત્રિત કરવામાં આવેલી સટીક જાણકારીના આધારે કરવામાં આવ્યા હતા. બીજી તરફ ઈરાને શનિવારે ઈઝરાયલ ઉપર જવાબી હુમલો કરતા ડ્રોન છોડયા હતા. જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મૃત્યુ થયા હતા અને ઘણાને ઈજા પહોંચી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજુલા પંથકની સગીરા ઉપર દુષ્કર્મ June 15, Sun, 2025