નવી દિલ્હી, તા. 14 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ રવિવારથી વિદેશયાત્રાએ જઈ રહ્યા છે. મોદી પાંચ દિવસમાં ત્રણ દેશનો પ્રવાસ કરશે. સાઈપ્રસથી શરૂ કર્યા પછી કેનેડા અને ક્રોએશિયા જશે.
આ પ્રવાસ
યુરોપીય સંઘ અને વૈશ્વિક મંચો પર ભારતની ભૂમિકાને હજુ વધુ સક્રિય અને મજબૂત કરવાની
દિશામાં મહત્ત્વનું પગલું મનાય છે.
રાષ્ટ્રપતિ
નિકોસ કિસ્ટોડુલાઈટસનાં નિમંત્રણ પર મોદી સાઈપ્રસ જશે. આ છેલ્લા બે દાયકામાં કોઈ ભારતીય
વડાપ્રધાનની પહેલી સાઈપ્રસ યાત્રા હશે.
ત્યારબાદ,
મોદી છઠ્ઠીવાર જી-7 શિખર બેઠકમાં સામેલ થશે. યાત્રાના બીજા તબક્કામાં વડાપ્રધાન માર્કકાર્નીનાં
નિમંત્રણ પર વડાપ્રધાન મોદી 16 અને 17 જૂનનાં કેનેડામાં જી-7 બેઠકમાં ભાગ લેવા જશે.
કેનેડાનાં
કનાનાસ્કિસમાં જી-7 શિખર બેઠકમાં મોદી જી-7 દેશો, આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડાઓ સાથે
ઊર્જા સુરક્ષા, ટેક્નોલોજી, એઆઈ-ઊર્જા સંબંધ જેવા મુદ્દાઓ પર વિચાર- વિમર્શ?કરશે.
યાત્રાનાં
અંતિમ ચરણમાં 18મી જૂનનાં વડાપ્રધાન આંદ્રે પ્લેંકોવિચનાં આમંત્રણથી મોદી ક્રોએશિયા
જશે.
ભારતીય
વડાપ્રધાનની આ પહેલી યાત્રા હશે, જે યુરોપીય સંઘના સહભાગી દેશો સાથે સંબંધોને ઊંડા
બનાવવાની પ્રતિબદ્ધતા રેખાંકિત કરશે.