• સોમવાર, 27 જુલાઈ, 2026

પેલેટ ગનની છૂટ કોણે આપી ? ઃ રાહુલ

ગૃહમંત્રીને પત્ર લખી, કોંગ્રેસ સાંસદનો સવાલ; લાઠીચાર્જ કરવાની મંજૂરી કેમ આપી ?

નવી દિલ્હી, તા. 26 ધર્મેન્દ્ર પ્રધાને પદ છોડÎ પછી ગૃહમંત્રી અમિત શાહની પાછળ પડી ગયેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રવિવારે શાહને પત્ર લખીને બે સવાલો પૂછયા હતા.

લોકસભામાં વિપક્ષના નેતાએ પહેલા પ્રશ્નમાં પૂછયું હતું કે, પ્રદર્શનકારીઓ પર પેલેટ ગન ચલાવવાનો આદેશ કોણે આપ્યો? જો આપે નહીં, તો કોણે? બીજા સવાલમાં રાહુલે પૂછયું કે, સામાન્ય કપડાંમાં આવેલા જે લોકોએ લાઠીચાર્જ કર્યો, તે પોલીસકર્મી હતા કે સ્વયંસેવક? તેમની તૈનાતી કોણે કરી?

કોંગ્રેસ સાંસદે એવું પણ જણાવ્યું હતું કે, છાત્ર દેખાવકારો સાથે વાત કરવાનાં સ્થાને સુરક્ષા દળોએ મારપીટ કરી, અશ્રુવાયુ છોડÎ.

પોલીસ, સુરક્ષાદળોના જવાનોએ સેંકડો દેખાવકારોને મારપીટ કરતાં ઘાયલ થયા હતા. 19 વર્ષના છાત્ર સાહિલ લોચબની તો એક આંખ ચાલી ગઈ. મહિલા દેખાવકારો સાથે દુર્વ્યવહારનો મુદ્દા પર શનિવારે ગૃહમંત્રી અમિત શાહને લખેલા પત્રમાં રાહુલે સવાલ ઊઠાવ્યો હતો. પત્રના અંતમાં કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, લોકતંત્રમાં શાંતિપૂર્ણ વિરોધનું સન્માન થવું જોઈએ. સરકારની જવાબદારી પ્રદર્શનકારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદના ઈજનેર યુવાનનું કેનેડામાં કાર અકસ્માતમાં મૃત્યુ રોંગ સાઈડમાં આવતી કારના ચાલકે ટક્કર મારતા બન્યો બનાવ July 27, Mon, 2026