રાજસ્થાન ક્રિકેટ એસોસિયેશન એડહોક કમિટિના સંયોજકે તપાસની માગ કરી
નવી
દિલ્હી, તા.22: લખનઉ સુપર જાયન્ટસ વિરુદ્ધનો મેચ અંતિમ ઓવરમાં નાટકિય ઢબે હારી જનાર
રાજસ્થાન રોયલ્સ ટીમ પર મેચ ફિક્સિંગનો આરોપ થયો છે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમ
આખરી ઓવરમાં 9 રન કરવાના હતા, પણ આવેશખાનની આ ઓવરમાં 6 રન જ કરી શકી હતી. હવે રાજસ્થાન
ક્રિકેટ એસોસિએશનના એડહોક કમિટિના સંયોજક જયદીપ બિહાનીએ સંજૂ સેમસનના કપ્તાન પદ હેઠળની
રાજસ્થાન રોયલ્સ ટીમ પર મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો છે.
જયદીપ
બિહાની કહે છે કે સરકાર દ્વારા નિયુક્ત એડહોક સમિતિનું રાજસ્થાન ટીમ પર કોઇ નિયંત્રણ
નથી. અમે ઈચ્છીએ છીએ કે કોઇ પણ જાતના વાદ-વિવાદ વિના રાજસ્થાન ક્રિકેટ એસે. સંચાલિત
સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં આઈપીએલના મેચ રમાઇ, પણ ઉપરાઉપરી બે મેચ રાજસ્થાન રોયલ્સ ટીમ
જે રીતે હારી તે શંકાસ્પદ છે. જેની બીસીસીઆઈએ
તપાસ કરવી જોઇએ.