અમદાવાદ, તા.29: ધોળકાના હરી જ્વેલર્સના માલિકો રોકાણના નામે 6 કરોડની છેતરપીંડી આચરીને ફરાર થઇ ગયા છે. જો કે સ્થાનિકોમાં છેતરપીંડીની આ રકમ રૂ.300થી 400 કરોડ હોવાની ચર્ચા છે.
પ્રાપ્ત
માહિતી અનુસાર ‘હરી જ્વેલર્સ’ના માલિકે ચાંદીમાં રોકાણ કરીને ઉંચા વળતરની લાલચ આપીને
છૂટક વેપારી મોહમ્મદ સજ્જાદ નિવાજખાન પઠાણ સાથે કરોડોની છેતરપીંડી આચરી છે. આશરે 3
કરોડનો ભવ્ય શો રૂમ અને કિંમતી ગાડી બતાવી લોકોમાં શાખ ઉભી કરનારા ઘનશ્યામ સોની અને
તેના બે પુત્રોએ ફરિયાદીને નફાની લાલચ આપીને ચાંદીમાં રોકાણ કરાવ્યું હતું. જ્યારે
ઘણા સમય બાદ ફરિયાદી ચાંદી અને નફાની સહિતની રકમ માંગતા સોની દ્વારા વાયદા આપવામાં
આવતા હતા. જો કે, સોની પિતા-પુત્રો રાતોરાત ફરાર થઇ જતાન ફરિયાદીએ છેતરપીંડીની ફરિયાદ
નોંધાવી હતી. જે મુજબ મોહંમદ સજ્જાદ પઠાણ પાસેથી 97 કિલો ચાંદી પડાવ્યા બાદ વાયદા મુજબ
ડિલિવરી આપી ન હોતી. જયારે રોકાણકારો પૈસા માંગવા ગયા ત્યારે 20 ઓકટોબરના રોજ જાણવા
મળ્યું કે, સોની પરિવાર ઘર અને શો રૂમને તાળા મારી નાસી છૂટયો છે. ફરિયાદી સિવાય અન્ય
કેટલાક લોકો પણ આ ઠગાઇનો ભોગ બન્યા છે.
સમગ્ર
બનાવ મામલે ધોળકા ટાઉન પોલીસે ઘનશ્યામભાઇ ગુણવંતભાઇ સોની અને તેમના બે પુત્રો યશ તથા
દીપ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.