• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ: સાવિત્રીબેન હિરજીભાઇ સવસાણીનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 617મું ચક્ષુદાન થયેલ છે.

ગોંડલ: મૂળ નવાગામ, હાલ ગોંડલ જનકબા અનુભા જાડેજા તે મોહનસિંહ (ક્રિકેટર), પૃથ્વીસિંહ (માજી પ્રમુખ નગરપાલિકા), બલદેવસિંહ  (પૂજા ટ્રાવેલ્સ), મયુરધ્વજસિંહ (અક્ષર ગેસ્ટ હાઉસ), સ્વ. જ્ઞાનદેવસિંહ (ગુણીભાઇ)નાં માતુશ્રી, ક્રિપાલસિંહ (કારોબારી અધ્યક્ષ નગરપાલિકા), મહિપાલસિંહ, કૃષ્ણકુમારસિંહ, દૂષ્યંતસિંહ, કશ્યપસિંહ, મહિદિપસિંહ તથા પુષ્પરાજસિંહનાં દાદીનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 4થી 6 રામ ટ્રાવેલ્સ, યોગીનગર મેઇન રોડ, ગોંડલ છે.

જામનગર: ઔદિચ્ય સહત્ર ઝાલાવાડી બ્રાહ્મણ (વ્યવહાવાળા), સ્વ. અશ્વિનકુમાર જોષીના પત્ની, જશુમતીબેન (ઉં.79) તે જશ્મીનભાઇ, તથા નીનાબેન પરેશભાઇ પુરોહિતના માતુશ્રી, ડિલાર જોષી તથા પરેશભાઇ મધુકર પુરોહિતના સાસુ, રિધમ, ખ્વાબના દાદીમા, ઋષિ અને મહર્ષિના નાનીનું તા.17ના અવસાન થયું છે. પ્રાર્થના સભા (બેસણું) તા.20નાં સાંજે 5થી 5-30 પાબારી હોલ, તળાવની પાળએ જામનગર છે.

રાજકોટ: બાબુભાઇ કરશનભાઇ ઢોલરીયા તે સાગરભાઇ, આકાશભાઇ, હિરલભાઇના પિતાશ્રીનું તા.18ના  અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 4થી 5-30 ‘શ્યામ’ પરિવાર પાર્ક શેરી નં. 3, આર્ય સમાજની બાજુમાં, માયાણીનગર મેઇન રોડ, રાજકોટ છે.

રાજકોટ: સ્વ. અમૃતલાલ હરજીવનદાસ સંઘવીના પુત્ર, ચીમનલાલના પુત્ર, નિલેશભાઇ તે હિતેષભાઇ, જ્યોતિબેન દિલીપભાઇ કોઠારીના નાના ભાઇ, નેહાબેનના પતિ, ફોરમના પિતા, ભવ્યના કાકા, પુરુષોત્તમ યાદવ લાલ ભાવસારના જમાઇ, તા.17ના અવસાન થયું છે. ઉઠમણું તા.20ના 10 કલાકે તથા પ્રાર્થના સભા 10-30 કલાકે મહેતા નિદાન કેન્દ્ર વિજયાવાડી, જૂનાગઢ છે.

રાજકોટ: મનસુખભાઇ બાલુભાઇ બેન્ડકર (ઉં.78) (એ.જી.ઓફિસ) (ઓડિટ વાળા) તે ભાનુબેન બેન્ડકરના પતિ, અમિતભાઇના પિતા, સ્વ. ભીખુરાવ (પોસ્ટ ઓફિસ)ના નાના ભાઇ, મુકેશભાઇ (એ.જી. ઓફિસ વાળા)ના કાકાનું તા.17ના અવસાન થયું છે.  બેસણું તા.20ના સોમવારે સાંજે 4થી 5 કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, પ્ર.નગર પોલીસ લાઇન પાસે રાખેલ છે.

મોટા વડાળા: વિજયાબેન જીવરાજભાઇ સોનછાત્રા (ઉં.102) તે કિશોરભાઇ, સ્વ. મથુરભાઇ, સ્વ. લલિતભાઇના માતુશ્રી, દીપકભાઇ, જીજ્ઞેશભાઇના દાદીનું તા.17ના અવસાન થયું છે. ઉઠમણું તા.20ના સાંજે 4થી 5 જાગનાથ મહાદેવ મંદિર, મોટા વડાળા છે.

જામખંભાળિયા: ખંભાળિયાના પુષ્કર્ણા બ્રાહ્મણ સ્વ. શાંતિલાલ વલ્લભદાસ બોડાના પુત્ર, ભાઇલાલભાઇ (ઉં.85) તે સ્વ. ધીરજલાલ બોડા (જામનગર), સ્વ. પ્રાણલાલના નાના ભાઇ, સ્વ. અજીતભાઇ, સ્વ. ઇશ્વરભાઇના મોટા ભાઇ તથા દિલીપભાઇ (દિપુભાઇ બોડા પાલિકા ખંભાળિયા), હેતલભાઇ (મોટા આસોટા હાઇસ્કૂલ શિક્ષક) તથા તુષારભાઇ (ઇલેક્ટ્રિક) તથા શિલાબેન કૌશિકભાઇ જોષી (જામનગર), મિતાબેન જીતેન્દ્રભાઇના પિતા, કરણ, દેવના દાદાનું તા.18ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.20ના 4-30થી 5 શરણેશ્વર મહાદેવ મંદિર ખંભાળિયા, ભાઇઓ-બહેનો માટે છે

ગોંડલ: ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ સરલાબેન ગજેન્દ્રભાઇ મહેતા (ઉં.81) તે વિમલભાઇ, કલ્પેશભાઇ તથા ભાવનાબેન વિપુલભાઇ રાવલ  (જૂનાગઢ)ના માતુશ્રી, સ્વ. બિપીનભાઇ, સ્વ. કમલેશભાઇ, મનિષભાઇ (રેલવે રાજકોટ), હિરેનભાઇ (રેલવે રાજકોટ)ના કાકી, સ્વ. ભાઇલાલભાઇ કે. ભટ્ટ (સુવાસ લોજ વાળા)ના દીકરી, બિપીનભાઇ બી. ભટ્ટ (મસ્કત)ના બહેનનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 4-30થી 6-30 હેમ વાડી, જૂનો સિમેન્ટ રોડ, 17, સ્ટેશન પ્લોટ, ગોંડલ છે.

જેતપુર: આશાબેન પ્રકાશભાઈ ભાગવાણી (ઉ.70) તે સ્વ.પ્રકાશભાઈ ભાગવાણીના પત્ની, મનીષભાઈ, વિજયભાઈ ભાગવાણી (આનંદ સાઉન્ડ, જેતપુર-રાજકોટ)વાળાના માતૃશ્રીનું તા.17નાં અવસાન થયું છે. બેસણુ તા.19નાં સાંજે 4 થી પ, તેમજ પઘડીયુ સાંજે પ.00 કલાકે વણિક સમાજની વાડી, કણકીયા પ્લોટ, જેતપુર છે.

વેરાવળ: સ્વ.સોમજીભાઈ જાદવજીભાઈ સુચકના પુત્ર સ્વ.ધનસુખભાઈ સુચક (ઉ.66) તે કિશોરભાઈના ભાઈ, રસીકભાઈ છગનભાઈ છગ, ચંદુલાલ મથુરાદાસ સોનપાલ, સ્વ.વિનોદભાઈના સાળાનું તા.17નાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર0નાં સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાને પ્રાસલી મુકામે છે.

રાજકોટ: રજપૂત ઉદયભાઈ નટવરલાલ ચાવડા (ઉં.પપ) તે જયાબેન નટવરલાલ ચાવડાના મોટાપુત્ર, સપનાબેનના પતિ, ધર્મેશભાઈના મોટાભાઈનું અવસાન થયું છે. બેસણુ તા.ર0નાં સાંજે 4 થી 6 ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, ગાયત્રી ડેરીની બાજુમાં, સાધુવાસવાણી રોડ, રાજકોટ છે.

પાલીતાણા : સૈફુદ્દીનભાઈ ગુલામહુસેન ચોકવાલા (ઉં.84) તે મરહુમ ફિઝીયાબેન હુસેનભાઈ દેવળાવાળાના શોહર, મુસ્તફાભાઈ, સલીમભાઈ, તાહેરાબેન નુરુદ્દિરભાઈ કાંચવાલા (ભાવનગર)ના બાવા, અલીહુસેનભાઈ, ફખરુદ્દીનભાઈ (ચેન્નઈ), ઈસ્માઈલભાઈ, મેમુનબેન તૈયબ અલી (દામનગર), સાજેદાબેન જુજરભાઈ (અમરેલી), રઝિયાબેન મોહસીનભાઈ (ભાવનગર)ના ભાઈનું તા.17ના વફાત થયેલ છે. ઝિયારતના સિપારા તા.ર0 સોમવારે સવારે 11.30 કલાકે બુરહાની મસ્જિદ, પાલીતાણા છે.

ઇ-પેપરના નવા શુલ્ક