ચક્ષુદાન
રાજકોટ:
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મંજુલાબેન જેઠાભાઇ દવે (ઉં.81) (સુરત) હાલ રાજકોટ તે
સોનલ વિજયકુમાર ધગત (રાજકોટ), સેજલ વિજયકુમાર પાઠક (ઇન્દોર)ના માતુશ્રી, તથા મહેશભાઇ
જે. દવે, ચંદ્રકાંતભાઇ જે. હવે, સ્વ. જયંતિ એચ. દવે, રાજેન્દ્ર જે. દવે, પ્રફુલ્લ જે.
દવે, ગં.સ્વ. નિર્મલાબેન એસ. મહેતા, સ્વ. ગીજુબેન વી. પાઠકના ભાભીનું તા.22ના અવસાન
થયું છે. તેમની સ્મશાન યાત્રા તા.23ને બુધવારે સવારે 8 કલાકે ‘ઓમ’, પર-બી, અમૃત સોસાયટી,
રૈયા ટેલિફોન એકસ. સામે, 150 ફીટ રીંગ રોડથી નિકળી રૈયા ગામના સ્મશાને જશે. સ્વર્ગસ્થના
ચક્ષુઓનું દાન કરાયું છે. બેસણું તા.24ને ગુરુવારે સાંજે 4-30થી 6-30 પારસ કોમ્યુનીટી
હોલ, પારસ કો. ઓપ. હાઉ. સોસાયટી લી. નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે, સૌ. કલા કેન્દ્ર
સોસાયટી પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. મો.નં. 94282
51662, વિજયભાઇ ધગત- 98259 56092, ચંદ્રકાન્તભાઇ જે. દવે.
ધ્રોલ:
ઉર્મિલાબેન પોપટલાલ ગણાત્રા (ઉં.76) તે સ્વ.પોપટલાલ દેવસી ગણાત્રાના પુત્રી, સ્વ.અરવિંદકુમાર
પોપટલાલ ગણાત્રાના બેન, મણીલાલ નાનજીભાઈ પતાણીના પત્ની બિહાગબેન કેતનભાઈ અનડકટના માતુશ્રી,
કેતનકુમાર ગોરધનદાસ અનડકટના સાસુ, મિત, માહિના નાનીનું તા.ર1ના અવસાન થયું છે. ઉઠમણું
તા.ર4ના સવારે 10થી 11 ધ્રોલ વૈજનાથ
મંદિરે
છે.
અમરેલી:
સ્વ.વૃજલાલ હરજીવનદાસ વસાણીનાં પત્ની કંચનબેન (ઉં.88) તે પ્રદીપભાઈ, હરેશભાઈ, મધુબેનના
માતુશ્રી, ભાવિક, પાર્થ, ભૌમિક (બંટી) અને કરણનાં દાદીમા, પ્રવીણચંદ્ર હરજીવનદાસ વસાણીના
ભાભીનું તા.રરના અવસાન થયું છે. અંમિતયાત્રા તા.ર3ના સવારે 8 કલાકે તેમના નિવાસ સ્થાને
સમર્થનગર, અખાડાની બાજુમાં, સુખનિવાસ કોલોની રોડ, અમરેલીથી નીકળી ગાયત્રી મોક્ષધામ
જશે.
ઉપલેટા:
મૂળ પોરબંદર, હાલ ઉપલેટા તનસુખભાઇ કાનજીભાઇ બુંધેલિયા (ઉં.76) તે ભીખુભાઇ, રમેશભાઇ,
સગુણાબેન, જયશ્રીબેનના મોટાભાઇ તથા દુષ્યંતભાઇના પિતાનું તા.21ના રોજ અવસાન થયું. બેસણું
તા.24ને ગુરુવારે સાંજે 4 થી 6 ત્રિલોકનાથ મહાદેવ મંદિર, આદર્શ સોસાયટી, રાજપૂત સમાજની
બાજુમાં, ઉપલેટા મુકામે રાખેલ છે.
રાજકોટ:
જામ-દુધઇ નિવાસી સ્વ. ખેંગારભાઇ જસરાજભાઇ પરમાર તે મનસુખભાઇ, રમેશભાઇના પિતાશ્રી, પરેશભાઇ,
વિશાલભાઇ, રવિભાઇના દાદાનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.24ના સાંજે 4 થી 6 ધર્મેશ્વર
મહાદેવ મંદિર, રાજ બેંકની પાછળ, ધરમનગર મેઇન રોડ, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ છે.
બાબરા:
બ્રહ્મક્ષત્રિય ચંદ્રકાંતભાઇ હરિદાસભાઇ છાટબારના પત્ની રંજનબેન (ઉ.76) તે પિયુષભાઇ
અને ધર્મેન્દ્રભાઇના માતુશ્રીનું તા.22મીએ અવસાન થયું છે. ઉઠમણું તા.24મીએ સાંજે 4
થી 6 બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, નદી કાંઠે, બાબરા ખાતે
રાખેલ
છે.
ધારી:
મંજુલાબેન નટવરલાલ નિમાવત (ઉ.76)તે નટવરલાલ મનોહરદાસ નિમાવત (મહંત બૈજનાથ મહાદેવ મહાદેવ
મંદિર)ના પત્ની, ગીરીશભાઇ (ટ્રાન્સપોર્ટ વાળા), દુષ્યંતભાઇ (ફાર્માસિસ્ટ સિવિલ હોસ્પિટલ-ધારી),
ચંદ્રેશભાઇના માતાનું તા.20ના અવસાન થયું છે.
બેસણું તા.25ના બપોરે 3થી 7 નટવરલાલ મોહનદાસ નિમાવતના નિવાસસ્થાને લાઇબ્રેરી રોડ, ધારી
છે.
જામનગર:
મૂળ હળવદ જામનગર રહેતા હાલ અમદાવાદ હસમુખરાય લાભશંકર પાઠક (રિટાયર્ડ જિલ્લા ઉદ્યોગ)
(ઉ.68) તે વિશાલભાઇ, હેતલ દેવાંગકુમાર જાનીના પિતાશ્રી, મૃદુલાબેનના પતિ, સ્વ.ગીરીશભાઇ
જિલ્લા પંચાયત, પ્રમોદભાઇ (રિટાયર્ડ પોસ્ટ ઓફિસ), હર્ષદભાઇ (રિટાયર્ડ અરૂણ ઉદ્યોગ),
ઘનશ્યામભાઇ (પોસ્ટ ઓફિસ), હેમંતભાઇ પાઠકના ભાઇ, સ્વ. ત્રિપુરાશંકર મહેતાના જમાઇ, રમેશભાઇ
નરેશભાઇ (હળવદ) તથા દિનેશભાઇ (ભુજ)ના બનેવીનું તા.20ના અવસાન થયું છે.
રાજકોટ:
જગદીશભાઇ હરિકૃષ્ણ શુકલના પત્ની, દીપેનભાઇના માતુશ્રી, હેમાબેનના સાસુ, તન્વીના દાદીમાં ચંદ્રિકાબેન જગદીશચંદ્ર શુકલ (ઉ.75)
(નિવૃત હેડ કલાર્ક સહાયક વિદ્યુત નિરીક્ષકની કચેરી)નું તા.21ના અવસાન થયું છે. બેસણું,
પ્રાર્થના સભા તા.24ના સવારે 9 થી 10-30 એસ્ટ્રોન સોસાયટી હોલ, એસ્ટ્રોન સોસાયટી, રાજકોટ
છે.
જૂનાગઢ:
સાઠોદરા નાગર સ્વ. ડોલરરાય ઉમિયાશંકર જોશીના પત્ની હંસાબેન તે શૈલેષ તથા બીના નરેશ
ઝાલાના માતુશ્રી, ગીતાબેનના સાસુ, વિનોદભાઇ જોશીના ભાભીનું તા.21ના અવસાન થયું છે.
ઉઠમણું તા.25ના સાંજે 5 થી 6 હાટકેશ શિવાલય, જૂનાગઢ છે.
મોરબી:
ચા.મ.મોઢ બ્રાહ્મણ મૂળ- ખાનપર હાલ-મોરબી રમણીકલાલ રામચંદ્ર જાનીના પત્ની, રૂક્ષ્મણીબેન
(ઉ.80) તે સ્વ. જટાશંકરના નાના ભાઇના પત્ની, સ્વ. પ્રભાશંકર રામજી મહેતાના દીકરી, મુકુંદભાઇ,
નરેન્દ્રભાઇ, સ્વ. જ્યોતિન્દ્રભાઇ, પ્રવિણાબેન દિનેશકુમાર જાનીના બહેન, દિલીપભાઇ (પૂર્વ
મેનેજર જ્ઞાતિ મંડળ મોરબી), જગદીશભાઇ, મુકેશભાઇ, સતીશભાઇ (રત્નદીપ સ્ટુડિયો), અરૂણાબેન
(અલ્કાબેન) ગીરીશકુમાર ત્રિવેદી (ભાવનગર), કીર્તિબેન અરંવિદકુમાર દવે (રાજકોટ)ના માતુશ્રીનું
તા.20ના અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તા.24ના સાંજે 5 થી 6 ચા.મ. મોઢ બ્રાહ્મણની
વાડી, સાવસરપ્લોટ 10/11, મોરબી છે.
SVUMના પ્રમુખ પરાગ તેજુરાના માતૃશ્રીનું
અવસાન
બાબરા:
પુષ્પાબેન ચંદુલાલ તેજુરા (ઉં.90) બાબરા તાલુકા શિક્ષણ સમિતિના માજી ચેરમેન, અમરેલી
જિલ્લા પંચાયત માજી સભ્ય તે સ્વ.ચંદુલાલ ધરમસિંહ તેજુરા (સ્વાતંત્ર સેનાની બાબરા)ના
પત્ની, સ્વ.અનિલભાઈ, સ્વ.મુકેશભાઈ, સ્વ.જતીનભાઈ, પરાગભાઈ (પ્રમુખ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ
મહામંડળ), બીનાબેન કેસરિયા, કુ.કોઝેટબેન, કુ.રીટાબેનના માતુશ્રી, પ્રથમ તેજુરાના દાદીમા,
મહેશચંદ્ર કેશવલાલ તન્નાના બહેનનું તા.રરના અવસાન થયું છે. સ્મશાનયાત્રા બુધવારે સવારે
10 કલાકે તેમના નિવાસ સ્થાને ‘પરાગ’, શ્રીજીનગર, રામેશ્વર ચોક, રૈયા રોડ, રાજકોટ ખાતેથી
નીકળશે અને રૈયા સ્મશાન ગૃહે જશે.