• શુક્રવાર, 29 મે, 2026

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: પુનિતાબેન જગદીશભાઈ દવેનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન અભિયાનમાં કુલ 865 ચક્ષુદાન થયેલ છે.

ભાટીયા: ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ સમાજના મંજુલાબેન છોટાલાલ પંડયા (મરજાદી) (ઉ.8ર) તે સ્વ.છોટાલાલ મોહનલાલ પંડયાના પત્ની, રાજેન્દ્રભાઈ, રમેશભાઈ તથા યોગેશભાઈ (મહાદેવ પાન)ના માતા, નવીનકુમાર પંડિત, બીપીનકુમાર વ્યાસ તથા કિરીટકુમાર દવેના સાસુનું તા.ર0ના અવસાન

થયું છે.

રાજકોટ: સ્વ.જમનાદાસ રતિલાલ જોબનપુત્રા તે રાજેશભાઈ, નરેશભાઈ, જીજ્ઞેશભાઈના પિતાનું તા.ર8ના અવસાન થયુ છે. બેસણુ તા.ર9નાં સાંજે પ થી 6, નંદા હોલ, કોઠારીયા રોડ, રાજકોટ છે.

ગઢડા (સ્વામીના): સોની મનસુખલાલ દુર્લભજીભાઈ રાજપુરાના પત્ની હીરાબેન (ઉં.74) તે કલ્પેશભાઈ, શૈલેષભાઈ (ભગત), શરદભાઈ તથા સ્વ.દીપીકાબેન હર્ષદકુમારના માતા, ચેતનાબેન, બીનાબેન અને રીટાબેનના સાસુ, નિધીબેનના મોટા સાસુ, હર્ષિલભાઈ, પૂજાબેન, દ્રષ્ટિ, હેત, નંદની, નંદન, દિવ્યના દાદીમા, સ્વ.કેશવલાલ ડાયાભાઈ પટણી (રલોલવાળા)ના દીકરી, ઘનશ્યામભાઈ કેશવલાલ તથા જીતેન્દ્રભાઈ કેશવલાલના બહેનનું તા.ર7ના અવસાન થયું છે. બન્ને પક્ષની સંયુક્ત સાદડી તા.ર9નાં સાંજે 4 થી 6 શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, વાઢાળા ચોક, ગઢડા ખાતે છે.

જેતલસર જંક્શન: શૈલેષકુમાર હરસુખભાઈ પંડયા તે સ્વ.રેખાબેન એમ. શુકલા (ગોંડલ), સ્વ.જયશ્રીબેન એસ. રાવલ (જૂનાગઢ), વિનોદભાઈ એચ. પંડયા (જેતલસર જંકશન), હંસાબેન એન. રાવલ (જૂનાગઢ)ના ભાઈ, ભૂમિકા, રાધિકા, બ્રિજેશના પિતાનું તા.ર7ના અવસાન થયું છે. બેસણુ તા.ર9નાં સાંજે 4 થી 6, જૈન ઉપાશ્રય, કટકા વિસ્તાર, જેતલસર જંકશન છે.

પોરબંદર: સુરેશભાઈ વલ્લભદાસ સીમરીયા (ઉ.81) (ભાણજી લવજી ઘીવાળા) સ્વ.મધુબેનના પતિ, સ્વ.લક્ષ્મીદાસ (લખુભાઈ), સ્વ.દિલીપભાઈ, હસુભાઈ, સ્વ.પ્રદ્યુમ્નભાઈ, કિરણબેન, પૂર્ણિમાબેન, ભારતીબેનના ભાઇ, ચિરાગભાઇ, ભાવિતાબેન, નિકિતાબેનના પિતા, યતીનભાઇ, કવિતાબેનના સસરા, જેનિલ, રીયાના દાદા, રાજકોટવાળા સ્વ.વૃજલાલભાઈ ચુનીલાલ જીવરાજાણીના જમાઈનું તા.ર8ના અવસાન થયું છે. તા.ર9ના 4.30 થી પ.30 બિરલા હોલ, સસરાપક્ષની સાદડી સાથે છે.

ઉપલેટા: શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ કિરીટકુમાર પ્રાણલાલ દવે (ઉ.70) તે સ્વ.જીતેન્દ્રભાઈના નાનાભાઈ, જગદીશભાઈના મોટાભાઈ, આશિષભાઈ, સંકેતભાઈના પિતાનું તા.ર8ના અવસાન થયું છે.

પોરબંદર: જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રમેશભાઈ ભનુભાઈ ઓડેદરા (પટેલ), પોરબંદર જિલ્લા ભાજપના મહામંત્રી પ્રવીણભાઈ ભનુભાઈ ઓડેદરાના પિતા, પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન રમેશભાઈ ઓડેદરાના દાદા, ભનુભાઈ ચનાભાઈ ઓડેદરા (પટેલ) (ઉં.9પ) નું તા.ર6ના અવસાન થયું છે. જિલ્લા ભાજપના અગ્રણીઓના વડીલ ભનુભાઈના અવસાનથી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા શોક છવાયો છે.

રાજકોટ: જામનગર નિવાસી હાલ રાજકોટ કોકિલાબેન (ઉ.66) તે સુરેશભાઈ મથુરાદાસ દાવડાનાં પત્ની, અંકિતભાઈ, ખુશ્બુબેન હિરેનકુમાર કાપડિયાનાં માતા, આશ્કાબેનનાં સાસુ, સ્વ.કરસનદાસ લાલજી દતાણીનાં પુત્રી, ઉમેશભાઈ, દિલીપભાઈ, પંકજભાઈ, રીટાબેન જયેશકુમાર ગાંધી (મુંબઈ) ના ભાભીનું તા.ર7 નાં રાજકોટ મુકામે અવસાન થયુ છે. પ્રાર્થના સભા તા.29નાં પ થી 6 હેમુગઢવી મીની હોલ, ટાગોર રોડ, રાજકોટ, પિયર પક્ષની પ્રાર્થના સભા પણ સાથે છે.

ઇ-પેપરના નવા શુલ્ક