• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

જૂનાગઢની સગીરાના દેહવિક્રયમાં વધુ ત્રણ શખસની અટકાયત પોલીસની બે ટીમોને બીજા દિવસે સફળતા

જૂનાગઢ, તા.15: જૂનાગઢની સગીરા ઉપર રાજકોટમાં તેના પ્રેમીએ દુષ્કર્મ આચર્યા બાદ દેહવિક્રયમાં ધકેલનારા વધુ ત્રણ શખસોની પોલીસે અટકાયત કરી છે. તેમને જૂનાગઢ લાવી પૂછપરછ કરાશે. બાકીના છ શખસોની શોધખોળ ચાલી રહી છે.

આ બનાવમાં પોલીસે સગીરા સાથે જૂનાગઢના રેહાન તથા રાજકોટના કિરણ નેપાળીને ઝડપી લઇ બન્ને શખસોને ચાર દિ’ના રીમાન્ડ ઉપર મેળવી પોલીસે ભોગ બનનાર તથા ઝડપાયેલા બન્નેને સાથે રાખી રાજકોટની વિવિધ હોટલોમાં તપાસ નિવેદન, સીસીટીવી કેમેરાના ફૂટેઝ તપાસાયા હતા.

પોલીસની બેટીમોએ બે દિ’થી રાજકોટમાં ધામા નાખી તપાસમાં વધુ ત્રણ શખસોની અટકાયત કરવામાં આવી છે. તેઓને જૂનાગઢ લાવી પૂછપરછ બાદ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે. અન્ય છ શખસોની શોધખોળ ચાલી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક