ફેસબૂકમાં મેસેજ કરી રોજના એક ટકાના વળતરની
લાલચ આપી ગઠિયા કળા કરી ગયા
ભાવનગર,
તા.ર1: ભાવનગરના પ્રૌઢને સોનામાં રોકાણથી રોજના એક ટકાના નફાની લાલચ આપી ગઠિયાઓએ રૂ.1.10
કરોડ ખંખેરી લીધાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત
વિગત અનુસાર ભાવનગરના ચિત્રા જીઆઈડીસી ક્વાર્ટર બી/9માં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો
કરતા યોગેન્દ્રસિંહ અરવિંદસિંહ ગોહિલ (ઉ.વ.પ0)ને જૂન ર0ર4માં ફેસબુક ઉપર અનિકા શર્મા
નામના આઈડી ધરાવતા વ્યક્તિ સાથે મિત્રતા થઈ હતી અને ફેસબુક મેસેન્જર દ્વારા વાત કરતી
હતી તેમજ ફેસબુકમાં પોતે ફાઈનાન્સિયલ એડવાઈઝર તરીકે અલગ અલગ કંપનીની જાહેરાત મોકલી
આપી અને અલગ અલગ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી સારો નફો મળે છે તેમ જણાવી ફેસબુક મેસેન્જર
ઉપર એક લીંક મોકલી હતી. જેમાં સોનામાં ઓનલાઈન રોકાણ અને ટ્રેડિંગ કરવાથી રોજેરોજ 0.6
ટકાથી એક ટકા સુધી યુએસડીટી પ્રોફિટ મળશે તેમ જણાવ્યું હતું. યોગેન્દ્રસિંહ રોકાણ માટે
રસ દાખવતા તેણે વોટ્સએપ મેસેજ કરી રજીસ્ટ્રેશન કરવાનું કહેતા તેમનું એકાઉન્ટ બનાવ્યું
હતું અને લિંકવાળી કંપનીના ઓનલાઈન કસ્ટમર સપોર્ટના ચેટ હેડ મારફત આપવામાં આવેલી બેંક
ખાતાની વિગતો મુજબ યોગેન્દ્રસિંહે તેમના ખાતામાંથી અલગ અલગ સમયે 10 જેટલા ટ્રાન્જેક્શન
કરી કુલ રૂ.1,10,પ0,000 ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રોકાણ કર્યા બાદ તેમના એકાઉન્ટમાં
દર્શાવેલ વોલેટમાં દરરોજ થતા નફા પેટે યુ.એસ.ડી.ટી. 243695 દર્શાવતું હતું. નફાનો આ
ભાગ ઉપાડવા માટે યોગેન્દ્રસિંહ ગોહિલે કંપનીના ઓનલાઈન કસ્ટમર સપોર્ટ ચેટ હેડ મારફત
રજૂઆત કરતા ઈન્ટરનેશનલ એન્ડ ધ અન ડીસ્ક્લોઝડ ફોરેન ઈનકમ એન્ડ એસેટ લો અન્વયે રિસ્ક માર્જીન ભર્યા બાદ ફંડ
ઉપાડી શકાશે તેમ જણાવી તેના જમા ફંડના 30 ટકા લેખે રૂ.60,67,964 ભરવાનો ઈમેઈલ કર્યો
હતો. આથી યોગેન્દ્રસિંહે ગત તા.પ અને 6/12/2024નાં રોજ રૂ.પ0,000 અને ત્યાર બાદ કંપની
કન્વર્ઝન ફી અને પ ટકા રકમ ઉપાડવાની ફી પેટે વધુ રૂ.17,00,000 આર.ટી.જી.એસ. દ્વારા
ભર્યા હોવા છતાં આજ સુધી તેમના નફાનો ભાગ ઉપાડવા દીધો ન હતો. જેથી છેતરપિંડી અંગે યોગેન્દ્રસિંહ
ગોહિલે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમ વિરૂદ્ધ
બી.એન.એસ.ની કલમ હેઠળ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.