• સોમવાર, 01 જૂન, 2026

પેટ્રોલ-ડીઝલની નિકાસ ઉપર ડયૂટીમાં ઘટાડો

ક્ષ          આજથી થશે લાગુ : ઘરેલું બજારમાં કિંમત ઉપર કોઈ અસર થશે નહીં

નવીદિલ્હી, તા.31 : દેશમાં સળગતા પેટ્રોલ-ડીઝલના ભાવ વચ્ચે કેન્દ્ર સરકારે શનિવારે એક મોટો નિર્ણય કર્યો હતો. સરકારે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, 1 જૂનથી પેટ્રોલ, ડીઝલ અને વિમાન ઇંધણ(એટીએફ)ની નિકાસ ઉપર લાગતી ડયૂટી ઘટાડી નાખવામાં આવશે. પેટ્રોલની નિકાસ ઉપર 1.પ રૂપિયા પ્રતિ લીટર, ડીઝલની નિકાસ ઉપર 3 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે એટીએફની નિકાસ ઉપર ડયૂટીમાં 7 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત સરકારે કરી છે.

આ ઘટાડાની ઘરેલું સ્તરે કોઈ જ અસર થવાની નથી કારણ કે સરકારે ઘરેલું સ્તરે ટેક્સમાં કોઈ જ બદલાવ નથી કર્યો. નિકાસ વેરામાં ઘટાડાનો આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવમાં થોડી નરમાશ જોવા મળી રહી છે. સરકારે આ વિશેષ ટેક્સની શરૂઆત 27 માર્ચ, 2026ના રોજ કરી હતી. પશ્ચિમ એશિયામાં યુદ્ધનાં  (જુઓ પાનું 10)

કારણે ઘરેલું સ્તરે પેટ્રોલ-ડીઝલની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે સરકાર દ્વારા આ વધારાનો ટેક્સ નાખવામાં આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક