રાજકોટ,તા. 24(ફૂલછાબ ન્યૂઝ) ગુજરાતમાં મગફળી, બાજરી, તલ, કઠોળ સહિતના ઉનાળુ પાકનું વાવેતર પાછલા વર્ષ કરતા 7 ટકા વધારે થઇ ગયું છે. વાવેતર વિસ્તારમાં હવે ખાસ ફેરફાર થતો નથી પણ કૃષિ ખાતાના તાજા આંકડાઓમાં 12.25 લાખ હેક્ટર વિસ્તાર નોંધવામાં આવ્યો છે. ગયા વર્ષમાં 11.48 લાખ હેક્ટરમાં વાવણી થઇ હતી. હવે મે મહિનાના આરંભે કઠોળ અને નવા તલની આવકનો આરંભ થઇ જશે. પાકની પરિસ્થિતિ પાણીની છતને લીધે સારી છે. જોકે પાણીની સગવડ હોય તેવા ખેડૂતોએ જ ઉનાળુ વાવેતર કર્યા છે.
બાજરીનું વાવેતર છેલ્લાં તબક્કામા
ખૂબ સારું રહેતા પાછલા વર્ષ કરતા વિસ્તાર વધ્યો છે. 5 ટકા વધારે વાવણી થતાં 3.21 લાખ
હેક્ટર વિસ્તાર છે. ઉનાળુ બાજરીમાં ખપત ઘણી સારી થતી હોય છે કારણકે માલ રંગદાર અને
ચોખ્ખા પાકે છે. ડાંગરનું વાવેતર 1,28,182 લાખ હેક્ટર છે. જેમાં 50 ટકા કરતા વધુ સુધારો
દેખાયો છે. ઉનાળુ મકાઇનું સામાન્ય 7,472 હેક્ટરમાં થયું છે.
કઠોળમાં મગનું વાવેતર 8 ટકા વધીને
59,113 હેક્ટર અને અડદનું વાવેતર 34 ટકા વધારે થતા 30,196 હેક્ટર રહ્યું છે. મગ અને
અડદ ઉનાળુ સીઝનમાં પાકે છે તે ઓન ડિમાન્ડ હોય છે એટલે ખેડૂતોને રસ વધારે છે. પાક ઉત્પાદન
સારું થવાના ખેડૂતોના અહેવાલ છે. મહિના સુધી સીઝન ચાલે તેમ છે.
મગફળીનું વાવેતર 56,261 હેક્ટરમાં
થયું છે. જે અગાઉના વર્ષમાં 59,960 હેક્ટર હતું. તલનો વિસ્તાર 7 ટકા જેટલો વધી જતા
1.22 લાખ હેક્ટર રહ્યો છે. તલના ભાવમાં અત્યારે ભાવ અથડાઇ રહ્યા છે. મહિના પછી આગોતરા
તલની આવક શરૂ થશે ત્યારે ભાર દબાવાની સંભાવના છે.
શેરડીના ઉંચા ભાવને લીધે ખેડૂતો
વાવેતર તરફ ઝૂક્યાં છે. 12,563 હેક્ટરમાં વાવણી થઇ છે. ગયા વર્ષ કરતા 24 ટકા વધારે
વાવણી થઇ છે. શાકભાજીનો વિસ્તાર1,07,247 હેક્ટર અને ઘાસચારાનો વિસ્તાર 3,57,018 હેક્ટર
રહ્યો છે.