• બુધવાર, 22 જુલાઈ, 2026

આતંકીઓએ બદલ્યો ટાર્ગેટ ? હવે ગુજરાત-રાજસ્થાન પર ખતરો !

આતંકવાદી સંગઠનો દેશની આર્થિક પ્રવૃત્તિઓને વિક્ષેપિત કરીને વ્યાપક નુકસાન પહોંચાડવાનું લક્ષ્ય રાખી રહ્યા છે

નવી દિલ્હી, તા.19 આતંકવાદનો ખતરો હવે ભારતની સુરક્ષા એજન્સીઓ માટે એક નવા સ્વરૂપમાં ઉભરી રહ્યો છે. લાંબા સમયથી જમ્મુ અને કાશ્મીર સુધી મર્યાદિત આતંકવાદી પ્રવૃત્તિઓ હવે દેશના પશ્ચિમ ભાગ તરફ આગળ વધી રહી હોય તેવું લાગે છે. તાજેતરમાં ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) દ્વારા જૈશ--મોહમ્મદ (જેઈએમ)ના સંગઠિત મોડÎુલનો પર્દાફાશ બદલાતી વ્યૂહરચનાનો મુખ્ય સંકેત માનવામાં આવી રહ્યો છે. સુરક્ષા અધિકારીઓ માને છે કે આતંકવાદી સંગઠનો હવે સરહદી વિસ્તારોમાં હુમલાઓ સુધી મર્યાદિત રહેવા માંગતા નથી. તેઓ દેશની આર્થિક પ્રવૃત્તિઓને વિક્ષેપિત કરીને વ્યાપક નુકસાન પહોંચાડવાનું લક્ષ્ય રાખી રહ્યા છે.

એક્સપર્ટના મતે, ગુજરાત અને રાજસ્થાનનું ભૌગોલિક સ્થાન આતંકવાદીઓ માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બંને રાજ્યો પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે, જેના કારણે ઘૂસણખોરી શક્Î બને છે. પરંતુ સરહદ એકમાત્ર પરિબળ નથી. રાજ્યો દેશના ઘણા મુખ્ય ઔદ્યોગિક અને ઉર્જા કેદ્રોનું ઘર છે. વિસ્તારોમાં એક મોટો હુમલો ફક્ત સ્થાનિક સ્તરે નહીં, પરંતુ સમગ્ર દેશના અર્થતંત્ર અને આવશ્યક સેવાઓ પર વિનાશક અસર કરી શકે છે.

સુરક્ષા એક્સપર્ટ કહે છે કે જો કોઈ મુખ્ય ઔદ્યોગિક વિસ્તાર, બંદર અથવા ઉર્જા સુવિધાને લક્ષ્ય બનાવવામાં આવે છે, તો ઇંધણ પુરવઠો, વીજળી ઉત્પાદન અને કાર્ગો પરિવહન જેવી સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. દૈનિક જરૂરિયાતો માટે પુરવઠા શૃંખલાને વિક્ષેપિત કરી શકે છે, અને તેની અસર અનેક રાજ્યોમાં અનુભવાઈ શકે છે.

એક્સપર્ટના મતે, આતંકવાદી સંગઠનોના વિચારમાં પરિવર્તન આવ્યું છે. અગાઉ, જમ્મુ અને કાશ્મીરમાં હુમલાઓ મુખ્યત્વે સુરક્ષા અને રાજકીય વાતાવરણ  પર કેદ્રિત હતા. હવે, એવા સ્થળોને લક્ષ્ય બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જ્યાં હુમલાથી દેશના અર્થતંત્ર, રોકાણ વાતાવરણ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પર નોંધપાત્ર અસર પડી શકે છે.

ગુજરાત દેશના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર કેંદ્રોમાંનું એક છે. મુદ્રા અને કંડલા જેવા મુખ્ય બંદરો નોંધપાત્ર આયાત અને નિકાસ વોલ્યુમનું સંચાલન કરે છે. જામનગરમાં વિશ્વના સૌથી મોટા તેલ શુદ્ધિકરણ સંકુલ પણ આવેલા છે. સુરક્ષા એક્સપર્ટ માને છે કે આવી વ્યૂહાત્મક સંપત્તિઓનું રક્ષણ કરવું ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે તેમના પર કોઈપણ હુમલો વ્યાપક આર્થિક અસર કરી શકે છે.

પશ્ચિમ ભારતને નિશાન બનાવવાના પ્રયાસો નવા નથી. 2002માં ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલો અને 2008માં મુંબઈ હુમલા આપણને યાદ અપાવે છે કે આતંકવાદી સંગઠનો પરંપરાગત સરહદી વિસ્તારોથી આગળ વધીને મહત્વપૂર્ણ શહેરો અને દરિયાકાંઠાના વિસ્તારોને નિશાન બનાવી રહ્યા છે. મુંબઈ હુમલા દરમિયાન, આતંકવાદીઓએ દરિયાઈ માર્ગનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે દરિયાકાંઠાની સુરક્ષા મજબૂત થઈ હતી. જો કે, સુરક્ષા એજન્સીઓ આવા સંભવિત જોખમોનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક