• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

વડાપ્રધાન આવાસ પાસે સ્થિત ઝૂંપડીઓ ખાલી કરવા આદેશ

નવી દિલ્હી, તા. 26 : દિલ્હી હાઇકોર્ટે વડાપ્રધાન આવાસ નજીક વસેલી ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લગભગ 700 પરિવારને ત્યાંથી હટવાનો નિર્દેશ આપ્યો હતો.

અદાલતે આદેશ આપ્યો હતો કે, છ સપ્તાહની અંદર ઝૂંપડીઓમાં રહેતા લોકો ત્યાંથી હટી જાય, જગ્યા ખાલી કરી નાખે. દિલ્હીના સાવદા ઘેબરામાં આ પરિવારોનું પુનર્વસન કરાશે. વડાપ્રધાન આવાસ પાસે ત્રણ કેમ્પમાં 700 જેટલા પરિવાર રહે છે. મુખ્ય ન્યાયમૂર્તિ ડી. કે. ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની ખંડપીઠે આ આદેશ આપ્યો હતો. અદાલતે દિલ્હીના પૂર્વ જિલ્લા ન્યાયમૂર્તિ મનમોહન શર્માના વડપણ હેઠળ એક સમિતિ રચીને કહ્યું હતું કે, પુનર્વસન વખતે તમામ પરિવારને તમામ સુવિધા મળે તે સમિતિએ સુનિશ્ચિત કરવાનું રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક