• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

સોપોરમાં પાંચ આતંકી ઠાર : એક જવાન શહીદ

સોપોર, તા. 20 : આતંકવાદીઓને શોધવા કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફે સંયુક્ત રીતે બારામૂલાના સોપોરમાં ચલાવેલા તલાશી અભિયાન દરમિયાન થયેલા ઘર્ષણમાં પાંચ આતંકી ઠાર થયા હતા, જ્યારે એક જવાન શહીદ થયો હતો. અલબત્ત, સોમવારે પણ સુરક્ષા કર્મચારીઓએ તલાશી અભિયાન જારી રાખ્યું હતું.

એક મીડિયા હેવાલ મુજબ, રવિવારે સુરક્ષા દળો અને પોલીસે સોપોરમાં ઘેરાબંધી કરી તલાશી અભિયાન ચલાવ્યું હતું, જેમાં થોડા કિલોમીટર દૂર એક ઠેકાણું ઝડપાયું હતું અને ઘર્ષણ થયું હતું.

આ કાર્યવાહીમાં પાંચ આતંકવાદી ઠાર મરાયા હતા, જેમાં હિઝબુલ મુજાહિદીનનો કમાન્ડર ફારુક અહમદ ભટ્ટ પણ સામેલ હતો અને બે જવાન ઘાયલ થયા હતા, જે પૈકી એક જવાન સારવાર દરમિયાન શહીદ થયો હતો. ત્રાસવાદીઓને રોકવા માટે સોમવારે પણ સમગ્ર વિસ્તારમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળના કર્મચારીઓ તૈનાત રખાયા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કર્ણાટક દબદબો બનાવવા અને જમ્મૂ-કાશ્મીર ટીમ પહેલીવાર ચેમ્પિયન બનવા માગશે February 24, Tue, 2026

Crime

સુરતમાં ગજેરાબંધુઓ સામે કરોડોની ઠગાઈનો ગુનો દાખલ બનાવટી દસ્તાવેજો બનાવી ભાગીદારને અંધારામાં રાખી ગુનો આચર્યો February 24, Tue, 2026