• સોમવાર, 07 જુલાઈ, 2025

રાધનપુર-મહેસાણા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના ત્રણનાં મૃત્યુ

અમદાવાદ, તા. 6: રાધનપુર-મહેસાણા હાઈવે પર રિક્ષા અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યાં હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતહેદને પીએમ અર્થે રાધનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  પ્રાપ્ત માહિતી અનુસાર, રાધનપુર-મહેસાણા હાઈવે પર રાધનપુરથી વરણા જઈ રહેલી રિક્ષાની ટક્કર આઈસર ટેમ્પો સાથે થઈ હતી. આ અકસ્માતમાં માતા-પુત્ર સહિત એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે.  મૃતકોમાં 30 વર્ષીય વિરામભાઈ, 12 વર્ષીય આશિષ અને 55 વર્ષીય ગાલાબેનનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ આઈસર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થયો હતો. જોકે, આ અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક