કોલકતા, તા.2પ: પાછલી સીઝનમાં કોલકતા નાઇટ રાઇડર્સને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન શ્રેયસ અય્યર હવે પંજાબ કિંગ્સ ટીમને પ્લેઓફ તરફ આગળ ધપાવવા માટે કટિબધ્ધ બન્યો છે. આઇપીએલના શનિવારે રમાનાર મેચમાં કેકેઆ સામે પીબીકેસનો પડકાર હશે ત્યારે બધાને બન્ને ટીમ વચ્ચે લો સ્કોરીંગ મેચ યાદ આવી જશે. જે 10 દિવસ પહેલા રમાયો હતો. 1પ એપ્રિલે રમાયેલા આ મેચમાં પંજાબ કિંગ્સના 111 રનના જવાબમાં કોલકતા ટીમનો 9પ રનમાં ધબડકો થયો હતો. પંજાબની નજર હવે સીઝનમાં બીજીવાર કોલકતાને હાર આપી પ્લેઓફ ભણી આગકૂચ પર છે. બીજી તરફ કેકેઆર ટીમ વર્તમાન સીઝનમાં સંઘર્ષ કરી રહી છે અને તે પ્લેઓફ રેસની બહાર થવાની કગાર પર છે. જો પંજાબ સામે હાર મળશે તો તેની રાહ વધુ કઠિન બની જશે. મેચ ઇડન ગાર્ડન પર રમાશે અને સ્પિનર ફ્રેન્ડલી વિકેટ હશે તેવું માનવામાં આવે છે.
શ્રેયસ
અય્યરની કપ્તાની અને કોચ રિકી પોન્ટિંગના માર્ગદર્શનમાં પંજાબ કિંગ્સ ટીમ 8 મેચમાં
પ જીત સાથે 10 અંક સાથે પોઇન્ટ ટેબલ પર પાંચમા નંબર પર છે. કેકેઆર સામે પંજાબનો કેપ્ટન
શ્રેયસ અય્યર મોટી ઇનિંગ રમવા માંગશે. બીજી તરફ કેકેઆર 8 મેચમાં પ મેચ હારી ચૂકી છે.
તેના મુખ્ય બેટધરો વૈંકટેશ અય્યર, રમનદીપ સિંઘ, રિંકુ સિંહ, આંદ્રે રસેલ, સુનિલ નારાયણ
ચાલી રહ્યા નથી. કપ્તાન રહાણે રન કરે છે, પણ ટીમને જીત નજીક પહોંચાડી શકતો નથી. આથી
કેકેઆરની ઇલેવનમાં કેરેબિયન ખેલાડી રોવમેન પોવેલ જોવા મળી શકે છે. કેકેઆર બેટર્સ સામે
પંજાબના બોલર અર્શદીપ અને ચહલની બાધા પાર કરવાની ચુનૌતિ બની રહેશે. જયારે પંજાબના બેટર્સ
સામે કેકેઆરના બે મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી અને સુનિલ નારાયણ વિરુદ્ધ કસોટી થશે.